Friday, January 16, 2026

અમદાવાદમાં આ તારીખે કાંકરિયા લેક મુલાકાતીઓ માટે બંધ રહેશે, જાણો કેમ ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના આંગણે ફિલ્મફેર એવોર્ડનો ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે 11 ઓક્ટોબર શનિવારે શહેરમાં યોજાનારા ફિલ્મફેર એવોર્ડને પગલે કાર્યક્રમ સ્થળ નજીક આવેલા કાંકરિયા પરિસર મુલાકાતીઓ માટે બંધ રાખવાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવાયો છે. કાંકરિયા લેક ફ્રન્ટ સાથે સાથે કાંકરિયા ઝુ અને બાલવાટિકા પણ આ દિવસે બંધ રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના મણિનગરમાં આવેલ ટ્રાન્સ્ટેડિયા ખાતે 70મા ફિલ્મફેર એવોર્ડસનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન અનેક ફિલ્મી હસ્તીઓ અમદાવાદની મહેમાન બનશે. તારીખ 11 ઓક્ટોબરના રોજ ફિલ્મફેરનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે 11 ઓક્ટોબરના રોજ સલામતીને ધ્યાનમાં રાખીને કાંકરિયા લેક મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવનાર છે. તારીખ 11 ઓક્ટોબર, શનિવારના રોજ કાંકરિયા લેક, કાંકરિયા ઝુ, કિડ્સ સિટી, પ્રાણી સંગ્રહાલય સહિત તમામ રાઈડ્સ બંધ રાખવામાં આવનાર છે.

70મો ફિલ્મફેર એવોર્ડ્સ 2025, 11 ઓક્ટોબરના રોજ ગુજરાતના અમદાવાદમાં યોજાશે. ફિલ્મફેર એવોર્ડમાં બોલિવૂડના કિંગ શાહરુખ ખાન હોસ્ટ તરીકે દેખાશે, સાથે ફિલ્મમેકર કરણ જોહર તથા કરિશ્માઈ મનીષ પોલ પણ મંચ સંચાલન કરશે. એ રાત્રિ બોલિવૂડના ટોચના સ્ટાર અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, કૃતિ સેનન, અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદીના ઝગમગતા પરફોર્મન્સથી ઉજ્જવળ બની રહેશે.

બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન ફરી એકવાર ફિલ્મફેર સ્ટેજ પર ધૂમ મચાવશે. શાહરૂખ ખાને સિનેમા પ્રેમીઓને ગુજરાત આવવા અને રાજ્યની સુંદરતા તેમજ ફિલ્મફેરનો આનંદ માણવા આમંત્રણ આપ્યું છે. 70મા ફિલ્મફેર એવોર્ડ્સ એક સ્ટાર્સથી ભરપૂર સાંજ હશે, જેમાં અભિષેક બચ્ચનથી લઈને સિદ્ધાંત ચતુર્વેદી સુધીના બધા જ લોકો હાજરી આપશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...