Wednesday, March 11, 2026

સિવિલમાં તબીબોએ બે બાળકોની શ્વાસનળીમાં ફસાયેલા સોપારીના ટુકડા અને LED બલ્બને બહાર કાઢી નવજીવન આપ્યું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર માતા-પિતા માટે ચોકાવનારા કિસ્સા સામે આવ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી અને એનેસ્થેસિયા વિભાગના ડોક્ટરોની કુશળતાના કારણે બે માસૂમ બાળકોને નવું જીવન મળ્યું છે. એક વર્ષથી નાના આ બે બાળકોની શ્વાસનળીમાં ફસાયેલા જટિલ બાહ્ય પદાર્થને સફળ બ્રોન્કોસ્કોપી દ્વારા બહાર કાઢી શકાયો છે.

પ્રથમ કિસ્સાની વાત કરીએ તો મધ્યપ્રદેશના નિમચના રહેવાસી રાકેશભાઈ અને રાધાબેનના 9 મહિનાના પુત્ર જયદીપને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. એક્સ-રે અને સીટી સ્કેનમાં તેની ડાબી શ્વાસનળીમાં ફોરેન બોડી હોવાનું જાણવા મળ્યું. મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને પીડિયાટ્રિક સર્જરીના એચઓડી ડો. રાકેશ જોષી અને એનેસ્થેસિયા વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડો. ભરત મહેશ્વરીની ડોક્ટરોની ટીમે સફળ બ્રોન્કોસ્કોપી કરી બાળક જયદીપની શ્વાસનળીમાંથી સોપારીનો ટુકડો બહાર કાઢ્યો.

જયારે બીજો કિસ્સામાં ભરૂચના મુકેશભાઈ પટેલ અને હીરકબેનનો 11 મહિનાનો પુત્ર રિયાંશ શરદી-ઉધરસથી પીડાતો હતો. સ્થાનિક સારવાર બાદ બાળકને સુરત અને ત્યાંથી 15 ઓગસ્ટના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. અહીં પણ સીટી સ્કેન કરાવ્યા બાદ ડો. રાકેશ જોષી અને એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડો. શકુંતલાની ટીમે સફળ બ્રોન્કોસ્કોપી કરીને બાળકની શ્વાસનળીમાં ફસાયેલો રમકડામાં વપરાતો એલઇડી બલ્બ દૂર કર્યો.

પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડોક્ટરોએ આ જટિલ ઓપરેશનોને સફળતાપૂર્વક પાર પાડીને બે જીવન બચાવ્યા છે. જોકે, વારંવાર ચેતવણી છતાં ફરી એકવાર એક વર્ષથી નાના બે બાળકોમાં શ્વાસનળીમાં વસ્તુ જતી રહેવાના કિસ્સા સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યા છે, જે માતા-પિતા માટે લાલબત્તી સમાન છે.

તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, વારંવાર બનતા આવા કિસ્સાઓ પરથી માતા-પિતાએ બોધપાઠ લેવાની જરૂર છે. બાળક સમજણું ન થાય ત્યાં સુધી સતત ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે રમતાં-રમતાં મોઢામાં મૂકેલો નાનો પદાર્થ પણ જીવલેણ સાબિત થઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...