Monday, October 13, 2025

સિવિલમાં તબીબોએ બે બાળકોની શ્વાસનળીમાં ફસાયેલા સોપારીના ટુકડા અને LED બલ્બને બહાર કાઢી નવજીવન આપ્યું

Share

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર માતા-પિતા માટે ચોકાવનારા કિસ્સા સામે આવ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી અને એનેસ્થેસિયા વિભાગના ડોક્ટરોની કુશળતાના કારણે બે માસૂમ બાળકોને નવું જીવન મળ્યું છે. એક વર્ષથી નાના આ બે બાળકોની શ્વાસનળીમાં ફસાયેલા જટિલ બાહ્ય પદાર્થને સફળ બ્રોન્કોસ્કોપી દ્વારા બહાર કાઢી શકાયો છે.

પ્રથમ કિસ્સાની વાત કરીએ તો મધ્યપ્રદેશના નિમચના રહેવાસી રાકેશભાઈ અને રાધાબેનના 9 મહિનાના પુત્ર જયદીપને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. એક્સ-રે અને સીટી સ્કેનમાં તેની ડાબી શ્વાસનળીમાં ફોરેન બોડી હોવાનું જાણવા મળ્યું. મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને પીડિયાટ્રિક સર્જરીના એચઓડી ડો. રાકેશ જોષી અને એનેસ્થેસિયા વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડો. ભરત મહેશ્વરીની ડોક્ટરોની ટીમે સફળ બ્રોન્કોસ્કોપી કરી બાળક જયદીપની શ્વાસનળીમાંથી સોપારીનો ટુકડો બહાર કાઢ્યો.

જયારે બીજો કિસ્સામાં ભરૂચના મુકેશભાઈ પટેલ અને હીરકબેનનો 11 મહિનાનો પુત્ર રિયાંશ શરદી-ઉધરસથી પીડાતો હતો. સ્થાનિક સારવાર બાદ બાળકને સુરત અને ત્યાંથી 15 ઓગસ્ટના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. અહીં પણ સીટી સ્કેન કરાવ્યા બાદ ડો. રાકેશ જોષી અને એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડો. શકુંતલાની ટીમે સફળ બ્રોન્કોસ્કોપી કરીને બાળકની શ્વાસનળીમાં ફસાયેલો રમકડામાં વપરાતો એલઇડી બલ્બ દૂર કર્યો.

પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડોક્ટરોએ આ જટિલ ઓપરેશનોને સફળતાપૂર્વક પાર પાડીને બે જીવન બચાવ્યા છે. જોકે, વારંવાર ચેતવણી છતાં ફરી એકવાર એક વર્ષથી નાના બે બાળકોમાં શ્વાસનળીમાં વસ્તુ જતી રહેવાના કિસ્સા સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યા છે, જે માતા-પિતા માટે લાલબત્તી સમાન છે.

તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, વારંવાર બનતા આવા કિસ્સાઓ પરથી માતા-પિતાએ બોધપાઠ લેવાની જરૂર છે. બાળક સમજણું ન થાય ત્યાં સુધી સતત ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે રમતાં-રમતાં મોઢામાં મૂકેલો નાનો પદાર્થ પણ જીવલેણ સાબિત થઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...