Monday, January 19, 2026

સિવિલમાં તબીબોએ બે બાળકોની શ્વાસનળીમાં ફસાયેલા સોપારીના ટુકડા અને LED બલ્બને બહાર કાઢી નવજીવન આપ્યું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર માતા-પિતા માટે ચોકાવનારા કિસ્સા સામે આવ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી અને એનેસ્થેસિયા વિભાગના ડોક્ટરોની કુશળતાના કારણે બે માસૂમ બાળકોને નવું જીવન મળ્યું છે. એક વર્ષથી નાના આ બે બાળકોની શ્વાસનળીમાં ફસાયેલા જટિલ બાહ્ય પદાર્થને સફળ બ્રોન્કોસ્કોપી દ્વારા બહાર કાઢી શકાયો છે.

પ્રથમ કિસ્સાની વાત કરીએ તો મધ્યપ્રદેશના નિમચના રહેવાસી રાકેશભાઈ અને રાધાબેનના 9 મહિનાના પુત્ર જયદીપને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. એક્સ-રે અને સીટી સ્કેનમાં તેની ડાબી શ્વાસનળીમાં ફોરેન બોડી હોવાનું જાણવા મળ્યું. મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને પીડિયાટ્રિક સર્જરીના એચઓડી ડો. રાકેશ જોષી અને એનેસ્થેસિયા વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડો. ભરત મહેશ્વરીની ડોક્ટરોની ટીમે સફળ બ્રોન્કોસ્કોપી કરી બાળક જયદીપની શ્વાસનળીમાંથી સોપારીનો ટુકડો બહાર કાઢ્યો.

જયારે બીજો કિસ્સામાં ભરૂચના મુકેશભાઈ પટેલ અને હીરકબેનનો 11 મહિનાનો પુત્ર રિયાંશ શરદી-ઉધરસથી પીડાતો હતો. સ્થાનિક સારવાર બાદ બાળકને સુરત અને ત્યાંથી 15 ઓગસ્ટના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. અહીં પણ સીટી સ્કેન કરાવ્યા બાદ ડો. રાકેશ જોષી અને એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડો. શકુંતલાની ટીમે સફળ બ્રોન્કોસ્કોપી કરીને બાળકની શ્વાસનળીમાં ફસાયેલો રમકડામાં વપરાતો એલઇડી બલ્બ દૂર કર્યો.

પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડોક્ટરોએ આ જટિલ ઓપરેશનોને સફળતાપૂર્વક પાર પાડીને બે જીવન બચાવ્યા છે. જોકે, વારંવાર ચેતવણી છતાં ફરી એકવાર એક વર્ષથી નાના બે બાળકોમાં શ્વાસનળીમાં વસ્તુ જતી રહેવાના કિસ્સા સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યા છે, જે માતા-પિતા માટે લાલબત્તી સમાન છે.

તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, વારંવાર બનતા આવા કિસ્સાઓ પરથી માતા-પિતાએ બોધપાઠ લેવાની જરૂર છે. બાળક સમજણું ન થાય ત્યાં સુધી સતત ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે રમતાં-રમતાં મોઢામાં મૂકેલો નાનો પદાર્થ પણ જીવલેણ સાબિત થઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...