Thursday, March 12, 2026

અમદાવાદની આ સોસાયટીએ દિવાળીની ભેટ તરીકે તેના મેમ્બર્સને આપ્યા 100 ગ્રામ ચાંદીના સિક્કા

spot_img
Share

અમદાવાદ : દિવાળીના શુભ તહેવારના આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ દિવસોમાં સોના ચાંદીની ખરીદી શુભ માનવામા આવે છે. ત્યારે બીજુ બાજુ સોના ચાંદીની કિંમતોમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે. પરંતુ આ વચ્ચે શહેરની એક પરંપરાગત રહેઠાણ સોસાયટીએ એક અનોખું ઉદાહરણ બનીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ સોસાયટીએ પોતાના 21 સભ્યોને દિવાળીની ખુશીમાં 100 ગ્રામ ચાંદી ભેટ તરીકે આપી, જે એકતા અને સમૃદ્ધિનું પ્રતીક બની રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, અમદાવાદની 96 વર્ષ જુની કૃષ્ણ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડએ તેના 21 સભ્યોને 12 ઓક્ટોબરે દિવાળીના અવસરે 100 ગ્રામ ચાંદી ભેટમાં આપવાની જાહેરાત કરી છે. એક મીડિયાને સોસાયટીના ચેરમેન શૈલેષ પટવારીએ જણાવ્યું કે, “અમે સભ્યો પાસે મેઈટેન્સ ફી નથી લેતા, પરંતુ જુની આવકથી પૂરતા નાણાં છે. આ અગાઉ પણ 1994માં દરેક સભ્યોને 400 ગ્રામ સોનું આપ્યું હતું.આમ સોસાયટીએ પોતાના સભ્યોને દિવાળી ગીફટ રૂપે 100-100 ગ્રામ ચાંદીના સિક્કા આપતા ચર્ચામાં આવી છે.

આ સોસાયટી પાસે ઉત્સવોમાં સમૃદ્ધિ વહેંચવાની લાંબી પરંપરા છે. 1994માં તેણે દરેક સભ્યને 400 ગ્રામ સોનું આપીને એકતાનું પ્રદર્શન કર્યું હતું. શાંતિનિકેતન કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, જે 100 વર્ષથી વધુ જૂની છે, તેને 2020થી 2022 સુધી ત્રણ વર્ષ સુધી 20 સભ્યોને ચાંદી આપી હતી. ત્યાના ચેરમેનનું કહેવું છે કે ભેટ સોગાદોના બદલે અમે રોકડ આપવી ઈચ્છા રાખીએ છીએ જેથી સંપત્તિમાં વધારો થાય છે. આપને જણાવી દઈએ કે આ વર્ષ પુષ્ય નક્ષત્રના દિવસે ચાંદીની કિંમતો 1.75 લાખ આસપાસ નોંધાઈ હતી.

પરંપરાગત સોસાયટીઓ પાસે હોલ, ખુલ્લી જમીન કે દુકાનો ભાડે આપવાની જેવા બહુવિધ આવકના સ્ત્રોતો હોય છે, જેનાથી તેમની સરપ્લસ રકમ બની શકે છે. જોકે, નવી સર્વિસ સોસાયટીઓ માટે આ સંભવ નથી, કારણ કે તેમની આવકના સ્ત્રોતો મર્યાદિત હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...