અમદાવાદ : દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ગુરૂવારે અગિયારસની સાથે દિવાળીના પર્વની શરૂઆત થઈ જશે. શનિવારે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે, જ્યારે શુક્રવારે કાળી ચૌદસ છે. જ્યારે 20 ઓક્ટોબર, 2025ના સોમવારે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે. દિવાળીના પર્વ પહેલા અમદાવાદ મહાનગર પાલિકાએ મોટી જાહેરાત કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMTS ના ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું કે અમદાવાદમાં દિવાળીના તહેવારોમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી તેમજ બહારગામથી પણ કેટલાંક લોકો ખરીદી કરવા આવતા હોય છે. દેશમાં આત્મ નિર્ભર ભારત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને ‘હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી’ સ્વદેશી વસ્તુઓની ખરીદીને વેગ મળે તેમજ દિવાળીના તહેવારોમા શહેરીજનોને ખરીદી કરવા માટે સરળાત રહે તે હેતુસર 18 ઓક્ટોબર ધનતેરસ, 19 ઓક્ટોબર કાળી ચૌદશ અને 20 ઓક્ટોબર, દિવાળી એમ ત્રણ દિવસ માટે તમામ પ્રવાસીઓને AMTSમા મફત પ્રવાસનો લાભ આપવામાં આવશે. આ હેતુસર AMTS કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે અને આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે.
દિવાળીના તહેવારોમા શહેરીજનોને ખરીદી કરવા માટે સરળતા રહે તે હેતુસર 18 ઓક્ટોબર ધનતેરસ, 19 ઓક્ટોબર કાળી ચૌદશ અને 20 ઓક્ટોબર, દિવાળી એમ ત્રણ દિવસ માટે તમામ પ્રવાસીઓને AMTSમા મફત પ્રવાસનો લાભ આપવામાં આવશે. આ હેતુસર AMTS કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે અને આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે.


