અમદાવાદ : દિવાળીના તહેવારો હવે શરુ થઇ રહ્યા છે ત્યારે તમામ રેલવે સ્ટેશનો મુસાફરોથી ઉભરાઇ રહ્યા છે. શહેરોમાં રહેતા લોકો પોતાના વતનમાં જવા માટે રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યા છે ત્યારે દિવાળી અને છઠ પર્વ દરમિયાન અધિકૃત મુસાફરોની સુવિધા જળવાઇ રહે તે માટે અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ વ્યવસ્થા 16 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર 2025 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવશે.

ડીઆરએમ ઓફિસ અમદાવાદ તરફથી મળેલી માહિતી મુજબ દિવાળી અને છઠ પર્વ દરમિયાન વતનમાં જવા માટે હજારો લોકો રેલવે સ્ટેશનો પર ઉમટી રહ્યા છે. રેલવે દ્વારા ખાસ ટ્રેનો પણ શરુ કરાઇ છે. પ્લેટફોર્મ પર મુસાફરોની ભારે અવરજવર જોવા મલી રહી છે.ત્યારે અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશન પરથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ નિયમ 16 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર 2025 સુધી વ્યવસ્થા અમલામાં રહેશે.આગામી દિવાળી અને છઠ્ઠ પર્વના અવસર પર મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને સાબરમતી
રેલવે સ્ટેશનો પર ભીડ નિયંત્રણ અને મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા માટે પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ તાત્કાલિક ધોરણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.
આ નિર્ણય મુસાફરોની સુરક્ષા, સુવિધા અને સુચારૂ અવરજવર સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલ તાત્કાલિક અને આયોજનબદ્ધ પગલું છે. પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની યાત્રાને વધુ સુરક્ષિત અને સુખદ બનાવવા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રેલવે પ્રશાસન મુસાફરો અને નાગરિકોને વિનંતી કરે છે કે આ સમયગાળા દરમિયાન અનાવશ્યક ભીડથી બચે અને સ્ટેશન પર માત્ર યાત્રા સંબંધિત કાર્યો માટે જ ઉપસ્થિત રહે, જેથી સૌ માટે સુરક્ષિત અને સુવિધાજનક યાત્રા વાતાવરણ સુનિશ્ચિત કરી શકાય.


