Friday, March 13, 2026

અમદાવાદ એરપોર્ટ પરથી ચાંદીની એક આખી પાટ ગુમ થઇ જતા ચકચાર, કર્મચારીની સંડોવણી પણ સામે આવી

spot_img
Share

અમદાવાદ : ચાંદીના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ચાંદીની કિંમતો સતત ઊંચેને ઉંચે જઇ રહી છે. સોની બજારોમાં ચોરી અને છેતરપિંડીના કિસ્સાઓમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. આવો જ એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો અમદાવાદના એરપોર્ટ કાર્ગો ટર્મિનલમાં સામે આવ્યો છે. અહીંથી એક આખે આખી ચાંદીની પાટ ગુમ થઇ જતા ચકચાર મચી ગઇ છે. એરપોર્ટ પોલીસે તપાસ કરતા એક કર્મચારી દ્વારા જ આ પાટની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયામાં સિનિયર એસોસિયેટ કાર્ગો ઓપરેશનમાં નોકરી કરતા જ્હોન મુરીંગાતેરીએ કૌશિક રાવલ નામના શખ્સ સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગઈ તા.11મીએ જ્હોન મુરીંગાતેરી ફરજ પર હતા ત્યારે દિલ્હી એરપોર્ટ, એર ઇન્ડિયા તરફથી એક ઇ-મેલ આવ્યો હતો.

અમદાવાદ દિલ્હીની ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટથી મોકલવામાં આવેલી 25 નંગ ચાંદીની પાટ ભરેલા પાર્સલમાંથી માત્ર 24 નંગ ચાંદીની પાટ જ મળી હતી. જ્યારે એક ચાંદીની પાટ ગાયબ હતી. આ બાબતે તપાસનો હુકમ મળતા ત્યાં કામ કરતી કંપની સાથે મળીને ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અમદાવાદ અને દિલ્હીથી કોઈ નક્કર પરિણામ મળી આવ્યું નહોતું.

એરપોર્ટના સીસીટીવીની તપાસ કરવામાં આવતા કાર્ગોમાં સામાન લોડ કરતી વખતે 24 નંગ સિલ્વર બાર જ લોડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. 16.58 લાખની કિંમતની 10 કિલોની ચાંદીની પાટ ચોરી થયાનું ખૂલ્યું હતું. ડોમેસ્ટિક એરપોર્ટ પર કાર્ગો ટર્મિનલ ખાતેના બિલ્ટઅપ એરિયા ખાતે નોકરી કરતા કૌશિક રાવલે ચોરી કરી હોવાનો ખુલાસો થયો હતો. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ હતી. એરપોર્ટ પોલીસ દ્વારા કૌશિક રાવલ સામે ગુનો દાખલ કરીને તપાસ આદરવામાં આવી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...