Tuesday, February 10, 2026

દિવાળી દરમિયાન ઇમરજન્સી સમયે આ ડોક્ટરો ખડે પગે સેવા આપશે, જાણો તમારા વિસ્તારમાં કયા ડોક્ટર રહેશે હાજર

spot_img
Share

અમદાવાદ : દિવાળીના તહેવારો દરમિયાન ઈમરજન્સી સમયે અમદાવાદઓને તબીબોની સેવા મળી રહે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન (AFPA) દ્વારા ડોક્ટર ઓન કોલ સેવા શરૂ કરવામાં આવી છે. તહેવારોના પાંચ દિવસ દરમિયાન એટલે કે 19 ઓક્ટોબર થી 26 ઓક્ટોબર સુધી અમદાવાદના 86 થી વધુ ડોક્ટરોની સેવા લોકોને મળી રહે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ડોક્ટર ઓન કોલ સેવા શરૂ કરાઇ છે.

 

પ્રાપ્ત વિગતો મુજબ, દિવાળીના તહેવારોમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન (AFPA) દ્વારા સામુદાયિક સ્વાસ્થ્ય માટે “ડોક્ટર ઓન કોલ” દિવાળી મેડિકલ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનની ઓફિશિયલ વેબસાઈટ www.ahmedabadmedicalassociation.com ઉપરથી દર વર્ષની જેમ આ વર્ષે પણ તહેવારોની મોસમ દરમિયાન શહેરીજનો 24/7 તબીબી સહાય મેળવી શકશે. આ સમર્પિત હેલ્પલાઇન સેવા 19 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર, 2025 સુધી કાર્યરત રહેશે.

છેલ્લા બાર વર્ષથી પણ વધુ સમયથી દર વર્ષે આયોજન અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા કરવામાં આવે છે. તેથી તહેવારોના સમય દરમિયાન લોકોને ઈમરજન્સી સારવાર મળી રહે તે માટે તમામ ડોક્ટરોના સંપર્ક કરી શકાશે. આ તમામ ડોક્ટરોનો એરિયા વાઇસ સરનામું ફોન નંબર અમદાવાદ મેડિકલ એસોસિયેશનની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સાથે સાથે મિર્ચી ન્યૂઝ દ્વારા આ સ્ટોરીમાં પણ તમામ એરિયા અનુસાર દિવાળીના તહેવાર દરમિયાન હાજર જે તબીબો રહેવાના છે તેમનું લિસ્ટ પણ મૂકવામાં આવ્યું છે. તેના પરથી આપ આપના વિસ્તારના નિષ્ણાંત તબીબની સેવા લઈ શકશો.

AMA અને AFPA ના ડોક્ટર સભ્યો દિવાળી દરમિયાન કોઈપણ સ્વાસ્થ્ય સંબંધિત કટોકટી અથવા પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો માટે ફોન દ્વારા સ્વયંસેવક રીતે ઉપલબ્ધ રહેવાની સેવા આપશે. આ સેવાનો લાભ કોઇપણ શહેરીજન લઇ શકશે. આ સેવા સમાજના કલ્યાણ પ્રત્યેની ડોકટરોના પ્રતિબદ્ધતાનો એક ભાગ છે, જેથી ખાતરી કરી શકાય કે તહેવાર દરમિયાન કોઈ પણ વ્યક્તિ સમયસર તબીબી માર્ગદર્શન વિના ન રહે.

આ ઉપરાંત દિવાળીના તહેવાર દરમિયાન એલર્જી પોલ્યુશન એકસીડન્ટ અને દાઝી જવાના અનેક બનાવો સામે આવતા હોય છે જેના માટે આ સેવા આશીર્વાદરૂપ નીવડતી હોય છે.

સંયોજકો:
ડૉ. જિગ્નેશ શાહ (પ્રમુખ, AMA) – 93270 14487
ડૉ. મૌલિક શેઠ (માનદ સચિવ, AMA) – 98259 15464
ડૉ. સુનિલ પટેલ –
ડૉ. અમૃતલાલ મહેશ્વરી –

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...