Thursday, March 12, 2026

નારણપુરામાં BRTSએ રાહદારીનો પગ કચડી નાખતા બસમાં તોડફોડ, 2 સામે ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ગઈકાલે શનિવારે અમદાવાદના નારણપુરા પાસે ગઈકાલે મોડી રાત્રે BRTS બસના ચાલકે એક રાહદારીના પગ પરથી બસ ચડાવી દેતા બે શખ્સોએ ભેગા મળીને BRTS બસના કાચ તોડી બસમાં તોડફોડ કરી હતી. આ ઉપરાંત બસના ડ્રાઇવરને પણ બસમાંથી ઉતારીને માર માર્યો હતો. આ મામલે બસના ડ્રાઇવર ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના નારણપુરા પાસે BRTS બસમાં તોડફોડ અને માર મારવા મામલે ડ્રાઈવરે પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ‘ગઈકાલે સાણંદ ચોકથી જયમંગલ સુધીની છેલ્લી ટ્રીપ મારી હતી. આ પછી બસ શાસ્ત્રીનગર ચાર રસ્તાથી નારણપુરા બસ ડેપો ખાતે મુકવા જતાં વળાંક પર એક રાહદારીનો પગ બસ ટાયરમાં આવી ગયો હતો. જેમાં મે તાત્કાલિક બ્રેક મારી દીધી હતી. જોકે, એટલામાં બે શખ્સો અકસ્માત કે કર્યો તેમ કરીને લાકડી અને પાઈપ વડે બસના કાચ તોડીને તોડફોડ કરવા લાગ્યા હતા અને મને માર માર્યો હતો.’

આ બનાવ બનતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.પોલીસને જાણતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. ડ્રાઈવરે સમગ્ર બાબતે બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. ઘાટલોડિયા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ડ્રાઈવરનું નિવેદન લઈને સીસીટીવી ફૂટેજ ચકાસવાની પ્રક્રિયા હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...