Sunday, January 18, 2026

અમદાવાદના આ વિસ્તારમાં બનશે દેશનો સૌથી મોટો મોલ, દૂબઈના લૂલૂ ગ્રૂપે 519 કરોડમાં જમીન ખરીદી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ભારતનો સૌથી મોટો મોલ બનવા જઈ રહ્યો છે અને તેના માટે દુબઈના લુલુ ગ્રૂપે જમીન ખરીદી લીધી છે. ચાંદખેડા એરિયામાં લુલુ જૂથે 519 કરોડ રૂપિયામાં પ્લોટની ડીલ કરી છે.પ્લોટની ખરીદી માટે લૂલૂ ઈન્ટરનેશનલ શોપિંગ મોલ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા 31 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દૂબઈના લૂલૂ ગ્રૂપ દ્વારા કુલ 66,168 ચોરસ મીટરની જમીન ખરીદવા માટે મ્યુનિ.પાસેથી પ્લોટ ખરીદવામાં આવ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ પાસેથી લૂલૂ ગ્રૂપ દ્વારા 381, 382, 383, 391 અને 396 એમ કુલ પાંચ પ્લોટ ખરીદવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની 76/B ટીપી સ્કીમ પર આવનારા દિવસોમાં લૂલૂ ગ્રૂપ દ્વારા માટાપાયે મોલ બનાવવાની યોજના શરૂ કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે, વાઘબારસના દિવસે લૂલૂ ગ્રૂપ દ્વારા જમીનનો આ સોદો કરવામાં આવ્યો અને સ્ટેમ્પ ડ્યૂટીની ચૂકવણી સરકારને કરવામાં આવી હતી. સાબરમતી સબ-રજિસ્ટ્રારની ઓફિસના અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે આ અમદાવાદ શહેરમાં નોંધાયેલો સૌથી મોટો જમીનનો સોદો છે. જેમાં અત્યાર સુધીના એક જ સોદામાંથી સૌથી વધુ સ્ટેમ્પ ડ્યુટીની આવક પણ થઇ છે.

દુબઈ સ્થિત લુલુ ગ્રૂપ રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં મોટું નામ ગણાય છે અને તે દુનિયામાં સૌથી મોટા મોલ બનાવવા માટે જાણીતું છે. લુલુ ગ્રૂપે અમદાવાદમાં પોતાનો સૌથી મોટો મોલ બનાવવાની જાહેરાત ઘણા સમય અગાઉ કરી હતી. પરંતુ હવે તે આ દિશામાં એક ડગલું આગળ વધ્યું છે અને ચાંદખેડા એરિયામાં જમીન ખરીદી છે.

રાજ્યના મહેસૂલ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂતકાળમાં જમીનના મોટા સોદા સામાન્ય રીતે 300 કરોડ રૂપિયાથી 400 કરોડ રૂપિયાની વચ્ચે રહેતા હતા. જો કે, આ પહેલી વાર છે જ્યારે 500 કરોડ રૂપિયાથી વધુનો સોદો થયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...