Saturday, January 24, 2026

ધારાસભ્યો માટે રાજાના મહેલને શરમાવે તેવા લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે લોકાર્પણ

spot_img
Share

ગાંધીનગર : ગાંધીનગરનાં સેક્ટર 17 ખાતે ધારાસભ્યો માટે આલિશાન ફ્લેટ બનાવવામાં આવ્યા છે. જેમાં આપણા માનનીયોને કોઇ પણ સમસ્યા ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ધારાસભ્યોની તમામ જરૂરિયાતોને ધ્યાને રાખીને ઇન્ટિરિયર ડિઝાઇનર પાસે ખાસ ફ્લેટની ડિઝાઇન કરવામાં આવ્યા છે. સેક્ટર 17 ખાતે સમગ્ર સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે.અને સંભવીત 23 ઓક્ટોબરે ગૃહ મંત્રી અમિત શાહ ધારાસભ્ય નિવાસસ્થાનનું ઉદ્ધાટન કરશે.

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા મકાનો તૈયાર કરાયા છે અને આગામી 23 તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ નવા મકાનોનું ઉદ્ધાટન કરાશે મળતી માહિતી મુજબ, ધારાસભ્યો માટે ગાંધીનગરમાં લક્ઝુરિયસ આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટનની સંભાવના વર્તાઇ રહી છે. સેક્ટર 17માં 200 કરોડથી વધુના ખર્ચે આવાસ બનાવામાં આવ્યા છે. 3 માસ્ટર બેડરૂમ સહિત 5 રૂમ, ફર્નિચર, ફ્રીઝ, ટીવી સહિતની સુવિધા સાથે 9 માળના 12 ટાવર તૈયાર કરવામાં આવ્યો છે.

ધારાસભ્યો માટે 3 BHKના લક્ઝુરિયસ ફ્લેટ બનાવાયા છે. 9 માળના 12 એપોર્ટમેન્ટમાં કુલ 216 ફ્લેટ બનાવાયા છે જેના કારણે ગાંધીનગર આવતા ધારાસભ્યોને રોકાણ કરવામાં સરળતા રહેશે. ગાંધીનગરના સેક્ટર 17 ખાતે ધારાસભ્યોના નવા નિવાસ સ્થાન બન્યા છે. આ 3 BHK લકઝુરિયસ ફ્લેટ છે જેમાં તમામ આધુનિક સવલતો રાખવામાં આવી છે. નવા નિવાસસ્થાનો સંપૂર્ણ વાતાનુકૂલિત હશે તેમજ ત્રણ બેડરૂમ, હોલ કિચન સાથે ક્વાર્ટરની તેમાં સુવિધા હશે. તમને જણાવી દઈએ કે, જેનો અંદાજે 200 કરોડથી વધુના ખર્ચે આ નિવાસ્થાનો તૈયાર થયા છે.

આ ઉપરાંત દરેક રુમમાં પુરતો હવા ઉજાસ અને પવન આવતો રહે તે પ્રકારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક રૂમમાં એસી પણ મુકવામાં આવ્યા છે. રસોડામાં ચિમની, ગેસ લાઇન, 24 કલાક પાણી સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મુલાકાતીઓ, સર્વન્ટ માટે અલગ લિફ્ટ જ્યારે ધારાસભ્યો માટે પણ ખાસ લિફ્ટ સહિતની સુવિધાનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. સોલાર સિસ્ટમ સહિતની તમામ અત્યાધુનિક સુવિધાઓ આપવામાં આવી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...