Thursday, January 22, 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના નિવાસસ્થાને નવા વર્ષની ઉજવણી કરશે, કાર્યકર્તાઓને પાઠવશે શુભેચ્છા

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતની મુલાકાતે છે. તેમના નિવાસ સ્થાને તેઓ પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. ત્યારે આવતીકાલે તેઓ કાર્યકર્તાઓ સાથે નૂતન વર્ષની પણ અહીં ઉજવણી કરશે. દર વર્ષની જેમ થલતેજ ખાતેના તેમના નિવાસસ્થાન રોયલ ક્રિસ્ટલ બંગલોમાં આ કાર્યક્રમ યોજાશે. આવતીકાલે સવારે 9:00થી 11:00 વાગ્યા સુધી બે કલાક સુધી કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની શુભેચ્છાઓનું આયોજન કરાશે.

પ્રાપ્ત વિગતો મુજબ, નવા વર્ષની શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાના મતવિસ્તારના કાર્યકર્તાઓ સાથે કરશે. આવતીકાલે નવા વર્ષના પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના નિવાસ સ્થાને કાર્યકર્તાઓ સાથે નૂતન વર્ષની પણ અહીં ઉજવણી કરશે. દર વર્ષની જેમ થલતેજ ખાતેના તેમના નિવાસસ્થાન રોયલ ક્રિસ્ટલ બંગલોમાં આ કાર્યક્રમ યોજાશે. આવતીકાલે સવારે 9:00થી 11:00 વાગ્યા સુધી બે કલાક સુધી કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની શુભેચ્છાઓનું આયોજન કરાશે.

અમિત શાહ હંમેશા તહેવારો પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉજવે છે. ઉત્તરાયણમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવે છે. જન્માષ્ટમીએ પરિવાર સાથે જગન્નાથ મંદિરની પૂજા કરીને ઉજવણી કરે છે. નવરાત્રીમાં વતનમાં કુળદેવી બહુચર માતાના દર્શન કરીને પર્વ મનાવે છે. આ જ પરંપરા અનુસાર, દિવાળી અને નવા વર્ષની ઉજવણી પણ કાર્યકર્તાઓ સાથે કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...