અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતની મુલાકાતે છે. તેમના નિવાસ સ્થાને તેઓ પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. ત્યારે આવતીકાલે તેઓ કાર્યકર્તાઓ સાથે નૂતન વર્ષની પણ અહીં ઉજવણી કરશે. દર વર્ષની જેમ થલતેજ ખાતેના તેમના નિવાસસ્થાન રોયલ ક્રિસ્ટલ બંગલોમાં આ કાર્યક્રમ યોજાશે. આવતીકાલે સવારે 9:00થી 11:00 વાગ્યા સુધી બે કલાક સુધી કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની શુભેચ્છાઓનું આયોજન કરાશે.

પ્રાપ્ત વિગતો મુજબ, નવા વર્ષની શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાના મતવિસ્તારના કાર્યકર્તાઓ સાથે કરશે. આવતીકાલે નવા વર્ષના પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના નિવાસ સ્થાને કાર્યકર્તાઓ સાથે નૂતન વર્ષની પણ અહીં ઉજવણી કરશે. દર વર્ષની જેમ થલતેજ ખાતેના તેમના નિવાસસ્થાન રોયલ ક્રિસ્ટલ બંગલોમાં આ કાર્યક્રમ યોજાશે. આવતીકાલે સવારે 9:00થી 11:00 વાગ્યા સુધી બે કલાક સુધી કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની શુભેચ્છાઓનું આયોજન કરાશે.
અમિત શાહ હંમેશા તહેવારો પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉજવે છે. ઉત્તરાયણમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવે છે. જન્માષ્ટમીએ પરિવાર સાથે જગન્નાથ મંદિરની પૂજા કરીને ઉજવણી કરે છે. નવરાત્રીમાં વતનમાં કુળદેવી બહુચર માતાના દર્શન કરીને પર્વ મનાવે છે. આ જ પરંપરા અનુસાર, દિવાળી અને નવા વર્ષની ઉજવણી પણ કાર્યકર્તાઓ સાથે કરે છે.


