અમદાવાદ : અમદાવાદના રિવરફ્રન્ટ પર નવો લીનિયર ગાર્ડન આગામી અઠવાડિયામાં નાગરિકો માટે ખુલ્લું મુકવામાં આવશે.શહેરના ઇતિહાસ સાથે બાળકોને જુની કરન્સીનું જ્ઞાન ગાર્ડનની મુલાકાતમાં મળશે અને નવા વર્ષમાં શહેરીજનો માટે મુકાશે ખુલ્લો ગાર્ડન અને હવે બાળકોને મનોરંજનની સાથે જ્ઞાન પણ લિનીયર ગાર્ડનમાં મળી રહેશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના રિવરફ્રન્ટ પર 12 કરોડના ખર્ચે નવો લીનિયર ગાર્ડન નવા વર્ષની શરૂઆતમાં શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવે તેવી શક્યતાઓ છે. સાબરમતી રિવરફ્રન્ટની પૂર્વ બાજુથી અને એલિસબ્રિજથી નહેરૂનગર વચ્ચે 1 કિમી લાંબો લીનિયર ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે, મહત્વની વાત તો એ છે કે, આ ગાર્ડનમાં મનોરંજની સાથે બાળકો અને શહેરીજનોને જ્ઞાન મળશે અને અમદાવાદના ઈતિહાસમાં પહેલી વખત આવો ગાર્ડન બનાવવામાં આવ્યો છે જેમાં વિવિધ કરન્સીની પ્રતિકૃતિ પણ જોવા મળશે, અમદાવાદમાં જે લોકો રિવરફ્રન્ટની મુલાકાતે આવતા હોય છે તે લોકોને પણ આ ગાર્ડન જોવાની મજા આવશે.
આ ગાર્ડનમાં સિનિયર સિટીઝન માટે બેસવાની વ્યવસ્થા, બાળકો માટે રમતનાં સાધનો હશે, શહેરના ઇતિહાસની ઝાંખી બતાવાશે. સાબરમતી રિવરફ્રન્ટ ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કાંઠે વિકસિત કરેલો વિસ્તાર છે. સૌપ્રથમ તેના નિર્માણ માટેનો પ્રસ્તાવ ઇ.સ. 1960માં મૂકાયો હતો પરંતુ તેનું નિર્માણ ઇ.સ. 2005માં શરૂ થયું હતું. 2014 પછી તેને સામાન્ય નાગરિકો માટે ક્રમશઃ ખુલ્લો મૂકવામાં આવ્યો અને સાથે-સાથે અન્ય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું.


