Tuesday, January 20, 2026

અમદાવાદીઓ માટે વધુ એક નવુ નજરાણું ઉમેરાશે, રિવરફ્રન્ટ ખાતે નવો લીનીયર ગાર્ડન મુકાશે ખુલ્લો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના રિવરફ્રન્ટ પર નવો લીનિયર ગાર્ડન આગામી અઠવાડિયામાં નાગરિકો માટે ખુલ્લું મુકવામાં આવશે.શહેરના ઇતિહાસ સાથે બાળકોને જુની કરન્સીનું જ્ઞાન ગાર્ડનની મુલાકાતમાં મળશે અને નવા વર્ષમાં શહેરીજનો માટે મુકાશે ખુલ્લો ગાર્ડન અને હવે બાળકોને મનોરંજનની સાથે જ્ઞાન પણ લિનીયર ગાર્ડનમાં મળી રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના રિવરફ્રન્ટ પર 12 કરોડના ખર્ચે નવો લીનિયર ગાર્ડન નવા વર્ષની શરૂઆતમાં શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવે તેવી શક્યતાઓ છે. સાબરમતી રિવરફ્રન્ટની પૂર્વ બાજુથી અને એલિસબ્રિજથી નહેરૂનગર વચ્ચે 1 કિમી લાંબો લીનિયર ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે, મહત્વની વાત તો એ છે કે, આ ગાર્ડનમાં મનોરંજની સાથે બાળકો અને શહેરીજનોને જ્ઞાન મળશે અને અમદાવાદના ઈતિહાસમાં પહેલી વખત આવો ગાર્ડન બનાવવામાં આવ્યો છે જેમાં વિવિધ કરન્સીની પ્રતિકૃતિ પણ જોવા મળશે, અમદાવાદમાં જે લોકો રિવરફ્રન્ટની મુલાકાતે આવતા હોય છે તે લોકોને પણ આ ગાર્ડન જોવાની મજા આવશે.

આ ગાર્ડનમાં સિનિયર સિટીઝન માટે બેસવાની વ્યવસ્થા, બાળકો માટે રમતનાં સાધનો હશે, શહેરના ઇતિહાસની ઝાંખી બતાવાશે. સાબરમતી રિવરફ્રન્ટ ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કાંઠે વિકસિત કરેલો વિસ્તાર છે. સૌપ્રથમ તેના નિર્માણ માટેનો પ્રસ્તાવ ઇ.સ. 1960માં મૂકાયો હતો પરંતુ તેનું નિર્માણ ઇ.સ. 2005માં શરૂ થયું હતું. 2014 પછી તેને સામાન્ય નાગરિકો માટે ક્રમશઃ ખુલ્લો મૂકવામાં આવ્યો અને સાથે-સાથે અન્ય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...