Saturday, July 25, 2026

અમદાવાદમાં AMC દ્વારા જરુરિયાતમંદ લોકો માટે 10 હજાર ફ્લેટ બનાવવાનું આયોજન

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2027 પૂર્વે રાજય સરકાર નાગરિકોના ઘરના ઘરનું સપનું પૂર્ણ કરવા માટે પ્રયાસ શરુ કર્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જરુરિયાતમંદ લોકો માટે 10 હજારથી વધુ ફ્લેટ બનાવવાનું આયોજન કર્યું છે. આ ફ્લેટ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં બનાવવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં આર્થિક રીતે નબળા વર્ગ(EWS)ના લોકો માટે પ્રતિ મકાન 7 લાખ, LIG (લો ઈન્કમ ગ્રુપ) પ્રકારના 2BHK મકાન રૂ. 28થી 30 લાખમાં મળશે. જ્યાં મોટા પ્રમાણમાં વિસ્તાર અને જર્જરીત મકાનો થઈ ગયા હોય ત્યાં રીડેવલપમેન્ટ કરવામાં આવશે એટલે કે નાગરિકોને નવા મકાનો બનાવીને રહેવા માટે આપવામાં આવશે જેમાં તેમને માત્ર મેન્ટેનન્સ ચાર્જ ચૂકવવાનો રહેશે.

અમદાવાદ મ્યુ કોર્પોરેશનની હાઉસિંગ કમિટીના ચેરમેને મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરમાં લોકોને ઘરનું ઘર મળી રહે અને સસ્તા ભાવે લોકોને મકાન મળે તેના માટે અલગ અલગ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત આર્થિક રીતે નબળા લોકો, એલઆઈજી અને ઝૂંપડપટ્ટી તેમજ જૂના થઈ ગયેલા મકાનોને રીડેવલોપમેન્ટ કરવામાં આવશે. જેની માટે 1406 કરોડ રૂપિયાના ખર્ચે 10,000થી વધારે આવાસ યોજનાના મકાનો બનાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવી છે. આ માટે આગામી દિવસોમાં તબક્કાવાર ફોર્મ બહાર પાડવામાં આવશે. જેમાં કુલ 30 જેટલા સ્થળો ઉપર આ મકાનો બનાવવામાં આવનાર છે.

જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ઈડબ્લ્યુએસના 2623 મકાનો, સ્લમ રીડેવલમેન્ટ હેઠળ 2497 મકાનો, એલઆઈજી હેઠળ 1233 મકાનો, તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3794 આવાસ બનાવવામાં આવશે. જયારે જુના સ્ટાફ ક્વાર્ટર્સ પૈકી મોટાભાગના સ્ટાફ ક્વાર્ટર્સ જર્જરિત બની ગયા છે. શહેરના જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા, દૂધેશ્વર, ખોખરા, નરોડા, બાપુનગર, વગેરે વિસ્તારમાં આવેલા મકાનો જર્જરિત બની ગયા હોવાથી આ મકાનોને રીડેવલપ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...