Saturday, January 24, 2026

અમદાવાદમાં AMC દ્વારા જરુરિયાતમંદ લોકો માટે 10 હજાર ફ્લેટ બનાવવાનું આયોજન

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2027 પૂર્વે રાજય સરકાર નાગરિકોના ઘરના ઘરનું સપનું પૂર્ણ કરવા માટે પ્રયાસ શરુ કર્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જરુરિયાતમંદ લોકો માટે 10 હજારથી વધુ ફ્લેટ બનાવવાનું આયોજન કર્યું છે. આ ફ્લેટ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં બનાવવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં આર્થિક રીતે નબળા વર્ગ(EWS)ના લોકો માટે પ્રતિ મકાન 7 લાખ, LIG (લો ઈન્કમ ગ્રુપ) પ્રકારના 2BHK મકાન રૂ. 28થી 30 લાખમાં મળશે. જ્યાં મોટા પ્રમાણમાં વિસ્તાર અને જર્જરીત મકાનો થઈ ગયા હોય ત્યાં રીડેવલપમેન્ટ કરવામાં આવશે એટલે કે નાગરિકોને નવા મકાનો બનાવીને રહેવા માટે આપવામાં આવશે જેમાં તેમને માત્ર મેન્ટેનન્સ ચાર્જ ચૂકવવાનો રહેશે.

અમદાવાદ મ્યુ કોર્પોરેશનની હાઉસિંગ કમિટીના ચેરમેને મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરમાં લોકોને ઘરનું ઘર મળી રહે અને સસ્તા ભાવે લોકોને મકાન મળે તેના માટે અલગ અલગ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત આર્થિક રીતે નબળા લોકો, એલઆઈજી અને ઝૂંપડપટ્ટી તેમજ જૂના થઈ ગયેલા મકાનોને રીડેવલોપમેન્ટ કરવામાં આવશે. જેની માટે 1406 કરોડ રૂપિયાના ખર્ચે 10,000થી વધારે આવાસ યોજનાના મકાનો બનાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવી છે. આ માટે આગામી દિવસોમાં તબક્કાવાર ફોર્મ બહાર પાડવામાં આવશે. જેમાં કુલ 30 જેટલા સ્થળો ઉપર આ મકાનો બનાવવામાં આવનાર છે.

જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ઈડબ્લ્યુએસના 2623 મકાનો, સ્લમ રીડેવલમેન્ટ હેઠળ 2497 મકાનો, એલઆઈજી હેઠળ 1233 મકાનો, તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3794 આવાસ બનાવવામાં આવશે. જયારે જુના સ્ટાફ ક્વાર્ટર્સ પૈકી મોટાભાગના સ્ટાફ ક્વાર્ટર્સ જર્જરિત બની ગયા છે. શહેરના જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા, દૂધેશ્વર, ખોખરા, નરોડા, બાપુનગર, વગેરે વિસ્તારમાં આવેલા મકાનો જર્જરિત બની ગયા હોવાથી આ મકાનોને રીડેવલપ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...