Tuesday, December 2, 2025

અમદાવાદમાં AMC દ્વારા જરુરિયાતમંદ લોકો માટે 10 હજાર ફ્લેટ બનાવવાનું આયોજન

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2027 પૂર્વે રાજય સરકાર નાગરિકોના ઘરના ઘરનું સપનું પૂર્ણ કરવા માટે પ્રયાસ શરુ કર્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જરુરિયાતમંદ લોકો માટે 10 હજારથી વધુ ફ્લેટ બનાવવાનું આયોજન કર્યું છે. આ ફ્લેટ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં બનાવવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં આર્થિક રીતે નબળા વર્ગ(EWS)ના લોકો માટે પ્રતિ મકાન 7 લાખ, LIG (લો ઈન્કમ ગ્રુપ) પ્રકારના 2BHK મકાન રૂ. 28થી 30 લાખમાં મળશે. જ્યાં મોટા પ્રમાણમાં વિસ્તાર અને જર્જરીત મકાનો થઈ ગયા હોય ત્યાં રીડેવલપમેન્ટ કરવામાં આવશે એટલે કે નાગરિકોને નવા મકાનો બનાવીને રહેવા માટે આપવામાં આવશે જેમાં તેમને માત્ર મેન્ટેનન્સ ચાર્જ ચૂકવવાનો રહેશે.

અમદાવાદ મ્યુ કોર્પોરેશનની હાઉસિંગ કમિટીના ચેરમેને મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરમાં લોકોને ઘરનું ઘર મળી રહે અને સસ્તા ભાવે લોકોને મકાન મળે તેના માટે અલગ અલગ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત આર્થિક રીતે નબળા લોકો, એલઆઈજી અને ઝૂંપડપટ્ટી તેમજ જૂના થઈ ગયેલા મકાનોને રીડેવલોપમેન્ટ કરવામાં આવશે. જેની માટે 1406 કરોડ રૂપિયાના ખર્ચે 10,000થી વધારે આવાસ યોજનાના મકાનો બનાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવી છે. આ માટે આગામી દિવસોમાં તબક્કાવાર ફોર્મ બહાર પાડવામાં આવશે. જેમાં કુલ 30 જેટલા સ્થળો ઉપર આ મકાનો બનાવવામાં આવનાર છે.

જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ઈડબ્લ્યુએસના 2623 મકાનો, સ્લમ રીડેવલમેન્ટ હેઠળ 2497 મકાનો, એલઆઈજી હેઠળ 1233 મકાનો, તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3794 આવાસ બનાવવામાં આવશે. જયારે જુના સ્ટાફ ક્વાર્ટર્સ પૈકી મોટાભાગના સ્ટાફ ક્વાર્ટર્સ જર્જરિત બની ગયા છે. શહેરના જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા, દૂધેશ્વર, ખોખરા, નરોડા, બાપુનગર, વગેરે વિસ્તારમાં આવેલા મકાનો જર્જરિત બની ગયા હોવાથી આ મકાનોને રીડેવલપ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...