Friday, January 23, 2026

વેપારીઓને હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવનાર સ્વરૂપવાન યુવતી ઝડપાઈ, એક વર્ષથી હતી ફરાર

spot_img
Share

અમદાવાદ : સોશિયલ મીડિયા પર જો કોઈ સુંદર યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો ચેતી જજો, કારણ કે તે યુવતી તમારા ખિસ્સા ખાલી કરી શકે છે, આ જ પ્રકારે વેપારીઓને ફસાવી રૂપિયા પડાવનાર યુવતી પોલીસને હાથે લાગી છે, સ્વરૂપવાન યુવતી અને તેનાં સાગરીતોએ ભેગા મળી બે વેપારીઓ પાસેથી લાખો રૂપિયા અને દાગીનાં પડાવી લીધા હતા.યુવતીના ત્રણ સાગરિતોની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી.પરંતુ યુવતી છેલ્લા એક વર્ષથી પોલીસને હાથતાળી આપીને નાસી રહી હતી.યુવતીએ એક યુવક સાથે લગ્ન કરી લીધા હતા અને યુવતીનું રિસેપ્શન પણ યોજવાનું હતું પરંતુ યુવતીના રિસેપ્શન પહેલા જ પોલીસે યુવતીની ચાલુ કથામાંથી ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મૂળ રાજકોટની હીના ઉર્ફે શીતલ ઉર્ફે જાનવી વાળોદરા નામની યુવતીની નરોડા પોલીસે ધરપકડ કરી છે, આ યુવતીએ પોતાના સાગરીતો સાથે મળીને પ્રેમજાળમાં ફસાવી રાતોરાત પૈસાદાર બનવાના સપના જોયા હતા. જોકે તેને ખબર ન હતી કે તેને રૂપિયાના મહેલના બદલે જેલમાં જવું પડશે. અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં હનીટ્રેપની બે ફરિયાદો નોંધાઈ હતી, જેમાં એક ફરિયાદમાં રાજસ્થાનનાં રિયલ એસ્ટેટના વેપારીને આ યુવતીએ શીતલ પટેલના નામે વ્હોટ્સએપ મેસેજ કરી નરોડા મળવા બોલાવ્યો હતો. જ્યાં વેપારીએ યુવતી સાથે ખરીદી કરી અને બાદમાં રોડ પર અચાનક એક ગાડીમાં 3 શખ્સો આવ્યા અને પોતાની પત્ની સાથે વેપારી શું કરે છે, તેમ કહીને બળાત્કારનાં ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 50 લાખ રૂપિયા માંગ્યા હતા. વેપારીનું અપહરણ કરી એક લાખ રોકડા અને 2.40 લાખનાં દાગીનાં પડાવી તમામ ફરાર થઈ ગયા હતા.

જયારે બીજી નરોડામાં નોંધાયેલી ફરિયાદમાં સુરતમાં રહેતા અને ન્યુટ્રીશીયન પાવડરનો વેપાર કરતા વેપારીને ફોન કરી શીતલ મહેતા તરીકેની ઓળખ આપી હતી. પોતાનું વજન ઉતારવા માટે ન્યુટ્રીશીયન પાવડર ખરીદવાનું કહીને વાતો શરૂ કરી હતી. જેની વિગતો સમજાવવાનાં નામે વેપારીને મળવા બોલાવી દહેગામ તરફ મળીને પોતાની એક્ટીવા પર કેનાલ પાસે લઈ ગઈ હતી. જ્યાં અચાનક ક્રેટા કારમાં 3 શખ્સો આવી પહોંચ્યા હતા જેમાંથી એક શખ્સે આરોપીના પાકિટમાં તપાસી ડ્રગ્સ જેવી પડીકી કાઢી અને વેપારી તેમજ યુવતી ડ્રગ્સ ડીલર છે તેવુ જણાવી અપહરણ કર્યું હતું. બાદમાં ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકીઓ આપી એક લાખની કિંમતની સોનાની લકી અને 3 લાખ રોકડા પડાવી લીધા હતા. આ બન્ને ફરિયાદો નોંધાયા બાદ નરોડા પોલીસે તે સમયે જયરાજસિંહ બોરીચા, વિજય સગર અને મંગળુભાઈ ખાચરની ધરપકડ કરી હતી. જોકે વેપારીઓને ફસાવીને મળવા બોલાવનાર મુખ્ય આરોપી એક વર્ષથી ફરાર હતી. તેને પકડી પાડવામાં હવે સફળતા મળી છે.

જોકે વેપારીઓને ફસાવીને મળવા બોલાવનાર મુખ્ય આરોપી એક વર્ષથી ફરાર હતી.પોલીસને બાતમી મળતા ગોતામાંથી યુવતીને ઝડપી પાડી હતી.યુવતીએ ગોતામાં રહેતા યુવક સાથે લગ્ન કરી લીધા હતા જે બાદ યુવતીનું યુવક સાથે રિસેપ્શન પણ યોજવાનું હતું પરંતુ રિસેપ્શનના આગલા દિવસે જ પોલીસે યુવતીને યુવક સાથે લગ્ન બાદ બેઠેલી કથામાંથી ઝડપી લીધી છે.

નરોડા પોલીસે આ ગુનામાં સંડોવાયેલી સ્વરૂપવાન યુવતીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. આ ટોળકીનાં આરોપીઓમાં યુવતી રાજકોટની, જ્યારે જયરાજ અમરેલીનો, વિજય રાજકોટ અને મંગળુ બોટાદનો રહેવાસી છે, તે તમામ એકઠા કઈ રીતે થયા અને આ રીતે કેટલા વેપારીઓને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવ્યા છે અને પડાવેલા રૂપિયાનું શું કર્યું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...