Monday, January 19, 2026

અમદાવાદમાં મહિલાને સમયસર બ્લાઉઝ સીવી ન આપવું દરજીને પડ્યું ભારે, કન્ઝ્યુમર કોર્ટે ફટકાર્યો 7000 રૂપિયાનો દંડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં એક દરજીને મહિલાને સમયસર બ્લાઉઝ સીવી ન આપવું મોંઘુ પડ્યું છે. કોર્ટે દરજીને ભારે દંડ ફટકાર્યો છે. હકીકતમાં, આ મામલો વર્ષ 2024નો છે, જ્યારે નવરંગપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના એક સંબંધીના લગ્નમાં હાજરી આપવાની હતી. મહિલાએ સીજી રોડ સ્થિત એક દરજીની દુકાને બ્લાઉઝ સીવડાવવાનો ઓર્ડર આપ્યો હતો. મહિલાએ બ્લાઉઝની સિલાઈ માટે 4,395 રૂપિયા એડવાન્સમાં જ દરજીને આપી દીધા હતા. દરજીએ વચન આપ્યું હતું કે તે લગ્ન પહેલાં બ્લાઉઝ તૈયાર કરી દેશે જેથી મહિલા તેને સમયસર પહેરી શકે. લગ્નની તારીખ 24 ડિસેમ્બર 2024 નક્કી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના નવરંગપુરાના એક મહિલા ગ્રાહકે નવેમ્બર, 2024માં સોનીઝ ધી ડિઝાઇનર શોપ, સી.જી. રોડના ટેલર હરેશભાઇને લગ્નમાં ટ્રેડિશનલ સાડી માટે બ્લાઉઝની ડિઝાઇન અને કાપડ સાથે 4,395 રૂપિયા એડવાન્સમાં ચૂકવ્યા હતા. પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી 24 ડિસેમ્બરે પહેરવાનું બ્લાઉઝ સમયસર તૈયાર થઈ જાય તેવી મહિલા ગ્રાહકને અપેક્ષા હતી. દરજી અને મહિલા વચ્ચે નક્કી થયેલા સમય પ્રમાણે તે 14 ડિસેમ્બરે બ્લાઉઝ લેવા ગયા હતા, પરંતુ બ્લાઉઝ મહિલાના ઓર્ડર મુજબ સીવેલ નહોતો.જ્યારે મહિલાએ આના પર વાંધો ઉઠાવ્યો, તો દરજીએ તેને ખાતરી આપી કે તે બ્લાઉઝને ઠીક કરાવીને લગ્ન પહેલાં આપી દેશે. પણ સમય વીતતો ગયો. લગ્નનો દિવસ પણ પસાર થઈ ગયો, પરંતુ બ્લાઉઝ મહિલા સુધી પહોંચ્યો નહીં. આખરે, મહિલાએ દરજીને કાયદાકીય નોટિસ મોકલી અને ગ્રાહક આયોગમાં ફરિયાદ નોંધાવી.

સુનાવણી દરમિયાન દરજી આયોગમાં હાજર જ ન થયો, જેના કારણે કેસ એક તરફી રીતે સાંભળવામાં આવ્યો. આયોગે પોતાના નિર્ણયમાં કહ્યું કે દરજી દ્વારા સમયસર સેવા ન આપવી અને ઓર્ડર પૂરો ન કરવો સ્પષ્ટપણે સેવામાં ખામી હેઠળ આવે છે. આયોગે પોતાના આદેશમાં કહ્યું કે તે સાબિત થાય છે કે ફરિયાદકર્તાએ એડવાન્સ ચુકવણી કરવા છતાં સેવા મેળવી નથી. લગ્ન સમારોહ માટે ઓર્ડર આપવામાં આવેલો બ્લાઉઝ સમયસર સીવવામાં આવ્યો નથી. તેનાથી ફરિયાદીને માનસિક ત્રાસ સહન કરવો પડ્યો. આયોગે દરજીને આદેશ આપ્યો કે તે 4,395 રૂપિયાની રકમ 7% વાર્ષિક વ્યાજ સાથે પાછી આપે. આ ઉપરાંત તેને માનસિક પીડા અને મુકદ્દમેબાજી (કેસ લડવાના) ખર્ચના રૂપમાં વધારાના 2,500 રૂપિયાનું વળતર આપવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...