Sunday, January 25, 2026

અમદાવાદ મ્યુ કોર્પોરેશનમાં મોટો ફેરફાર: 6 આસિસ્ટન્ટ કમિશ્નરોની બદલી, આરોગ્ય વિભાગમાં નવા ઇન્ચાર્જ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં કાર્યરત છ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની મ્યુનિસિપલ કમિશનરે બદલી કરી છે. આમાંથી ત્રણ અધિકારીઓને તે જ ઝોન અને સબ-ઝોનમાં પાછા મોકલવામાં આવ્યા છે જ્યાં તેઓ પહેલા કામ કરતા હતા. દરમિયાન, કોર્પોરેશનના આરોગ્ય વિભાગના હવાલામાં રહેલા આરોગ્ય અધિકારીઓને અલગ અલગ વિભાગોમાં વહેંચી દેવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને આરોગ્ય વિભાગમાં અચાનક થયેલા ફેરફારો AMC અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક અધિકારીઓ વર્ષોથી એક જ વિભાગ અથવા તો ઝોનમાં ફરજ બજાવતા હતા જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા જે અધિકારીઓને કર્મચારીઓ ના એક જ વિભાગ કે ઝોનમાં 1000 દિવસ થઈ ગયા હોય તેની બદલી કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ લાવવામાં આવ્યો હતો જે બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અનેક આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને અન્ય વિભાગના અધિકારીઓની બદલીઓ કરી દેવામાં આવી હતી.

મ્યુનિસિપલ કમિશનરે ઘણા વર્ષોથી આરોગ્ય વિભાગમાં આરોગ્ય અધિકારી-ઇન-ચાર્જ તરીકે ફરજ બજાવતા ડૉ. ભાવિન સોલંકીની ફરજો પણ વહેંચી દીધી છે. દિવાળી પહેલા, મ્યુનિસિપલ કમિશનરે ફૂડ વિભાગમાં વધારાના આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન જોશીને જન્મ અને મૃત્યુ વિભાગમાં બદલી કરી હતી, જ્યારે અન્ય આરોગ્ય અધિકારી, ડૉ. તેજસ શાહને જન્મ અને મૃત્યુ વિભાગમાંથી ફૂડ વિભાગમાં બદલી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરે આરોગ્ય વિભાગને સોંપાયેલા અધિકારીઓની જવાબદારીઓ આરોગ્ય અધિકારીઓ-ઇન-ચાર્જમાં વહેંચી દીધી છે.

આ બદલી બાદ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને વધારાની જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે. નવા ઝોન અને સબ ઝોન સાથે તેમની ઉપર કામગીરીનું ભારણ વધી ગયું છે. અગાઉથી જ કેટલાક અધિકારીઓની કામગીરીને લઈને નારાજગી હતી, હવે વધારાના દબાણ વચ્ચે પ્રજાલક્ષી સેવાઓની ગતિ જળવાઈ રહેશે કે નહીં તે જોવાનું રહેશે. અનેક કર્મચારીઓએ માન્યું છે કે વધારાની જવાબદારીના કારણે કાર્યમાં ઢીલાશ આવી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...