Monday, January 19, 2026

ગોતામાં સ્પાઈડર મેનની જેમ ચોરી કરતો શખ્સ ઝડપાયો, એક જ મોડ્સ ઓપરેન્ડીથી ચોરી થઈ હોવાથી ભેદ ખુલ્યો

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના ગોતામાં આવેલા શ્રીફળ રેસિડેન્સીના ફ્લેટમાં દિવાળીની રજાઓમાં પરિવાર ફરવા ગયો હતો, ત્યારે ચોરે બંધ ફ્લેટમાં ઘૂસીને ચોરી કરી હતી. ચોરો ફ્લેટની સીડીમાં બાથરૂમના વેન્ટિલેશન પાસેના નાના દરવાજામાંથી એન્ટ્રી લઇને ઘરમાં ઘૂસ્યા હતા. જ્યાં ત્રણ મકાનમાંથી કુલ રૂ. 8.95 લાખની ચોરી કરી હતી. સોલા પોલીસે ફ્લેટમાં કામ કરનાર સફાઈકર્મી આરોપીને ઝડપી પાડી 6.34 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મૂળ ઊંઝાના ઉનાવાના અરવિંદભાઈ પટેલ ગોતા વંદેમાતરમ્ રોડ પર શ્રીફળ એપાર્ટમેન્ટમાં રહે છે અને જાસપુરમાં પેવર બ્લોક બનાવવાની ફેક્ટરી ધરાવે છે. દિવાળીનો તહેવાર હોવાથી અરવિંદભાઈ ગત તા.21મીએ પરિવારજનો સાથે વતન ઊંઝા ગયા હતા. 26મીએ પરત આવ્યા ત્યારે તેમના બાથરૂમનો દરવાજો ખૂલ્લો હતો અને તેના કાચ પણ કાઢી નાખવામાં આવ્યા હતા.

ઘરમાં તપાસ કરતા ચોર રૂ. 6.10 લાખની મતાના 122 ગ્રામ સોનાના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. 7.06 લાખની મતા ચોરી ગયો હતો. આ સાથે ફ્લેટમાં ભાડે રહેતા પીન્ટુભાઈ ચૌધરીના ઘરેથી પણ કુલ 24 હજાર અને અન્ય મકાનમાંથી રૂ. 1.65 લાખની ચોરી થઈ હતી. સોલા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ કરતા કોઈ જાણભેદુ હોવાની થિયરી પર તપાસ કરી હતી. તપાસ દરમિયાન નિયમિત સફાઈકામ કરવા માટે આવતો યુવક જ ચોર નીકળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સોલા પોલીસે સફાઈકર્મીની વિગતો મેળવીને ચાંદલોડિયા રેલવે ગરનાળા પાસેથી આરોપી અલ્પેશ (ઉ.21, રહે. રાણીપ)ને ઝડપી પાડી રૂ. 6.34 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. આરોપીએ આ સિવાય અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ અને તેની સાથે બીજા કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં હાલ સોલા પોલીસે તપાસ શરૂ કરી છે અને તપાસ બાદ અન્ય ખુલાસા સામે આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...