Thursday, March 5, 2026

સોલા પોલીસની મોટી કાર્યવાહી, ભાડાના મકાનોમાં રહેતાં 17 બાંગ્લાદેશી ઘૂસણખોરની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સોલા પોલીસે સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 17 બાંગ્લાદેશી મહિલાઓ વસવાટ કરતી ઝડપાઈ છે. આ મહિલાઓ 10 દિવસથી લઈને છેલ્લાં ચાર વર્ષથી સોલા વિસ્તારમાં રહેવા માટે આવી હતી. સોલા પોલીસ દ્વારા સોલા વિસ્તારમાંથી ગેરકાયદે વસવાટ કરતા કુલ 17 બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરની સોલા પોલીસે ભાડાના મકાનોમાં રહેતાં 17 બાંગ્લાદેશી ઘૂસણખોરની ધરપકડ કરી છે. આ ઘુસણખોરોએ ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરી ભારતમાં પ્રવેશ કર્યો હતો. પોલીસે ચોક્કસ બાતમીના આધારે તમામ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા હતા. જેમાંથી મોટાભાગે મહિલાનો સમાવેશ થાય છે. હાલ તો તમામને સરદારનગર જેએફસી સેન્ટરમાં મોકલવામાં આવશે. ઝડપાયેલા બાંગ્લાદેશી નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરાશે.

આ તમામ વિદેશી નાગરિકો કોઈપણ પ્રકારના કાયદેસર દસ્તાવેજો અથવા મંજૂરી વિના ભારતમાં ઘૂસી આવ્યા હતા. જેથી પોલીસે દેશની સુરક્ષા અને કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક વલણ અપનાવ્યું હતું. વધારે વિગતે વાત કરવામાં આવે તો, સોલા પોલીસે ભાડાના મકાનોમાં રહેતાં 17 બાંગ્લાદેશી ઘૂસણખોરની અટકાયત કરી છે. બાતમીના આધારે પોલીસ દ્વારા તમામ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. મળતી માીહિતી પ્રમાણે આ 17 લોકોમાં મોટાભાગે મહિલાઓ છે.

સોલા પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આ તમામ ધૂસણખોર બાંગ્લાદેશીઓ સાથે વિગતવાર પૂછપરછ કરવામાં આવશે. પૂછપરછ કર્યાં બાદ તેમને સરદારનગર જેએફસી સેન્ટર ખાતે મોકલવામાં આવશે. આ કેન્દ્રમાં તેમની આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને તેમના મૂળ દેશમાં પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે, ગેરકાયદેસર ઘૂસણખોરોને પકડી પાડવાની આ ઝુંબેશથી અન્ય ગેરકાયદેસર વસાહતીઓમાં ફફડાટ ફેલાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...