Tuesday, January 20, 2026

સોલા પોલીસની મોટી કાર્યવાહી, ભાડાના મકાનોમાં રહેતાં 17 બાંગ્લાદેશી ઘૂસણખોરની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સોલા પોલીસે સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 17 બાંગ્લાદેશી મહિલાઓ વસવાટ કરતી ઝડપાઈ છે. આ મહિલાઓ 10 દિવસથી લઈને છેલ્લાં ચાર વર્ષથી સોલા વિસ્તારમાં રહેવા માટે આવી હતી. સોલા પોલીસ દ્વારા સોલા વિસ્તારમાંથી ગેરકાયદે વસવાટ કરતા કુલ 17 બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરની સોલા પોલીસે ભાડાના મકાનોમાં રહેતાં 17 બાંગ્લાદેશી ઘૂસણખોરની ધરપકડ કરી છે. આ ઘુસણખોરોએ ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરી ભારતમાં પ્રવેશ કર્યો હતો. પોલીસે ચોક્કસ બાતમીના આધારે તમામ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા હતા. જેમાંથી મોટાભાગે મહિલાનો સમાવેશ થાય છે. હાલ તો તમામને સરદારનગર જેએફસી સેન્ટરમાં મોકલવામાં આવશે. ઝડપાયેલા બાંગ્લાદેશી નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરાશે.

આ તમામ વિદેશી નાગરિકો કોઈપણ પ્રકારના કાયદેસર દસ્તાવેજો અથવા મંજૂરી વિના ભારતમાં ઘૂસી આવ્યા હતા. જેથી પોલીસે દેશની સુરક્ષા અને કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક વલણ અપનાવ્યું હતું. વધારે વિગતે વાત કરવામાં આવે તો, સોલા પોલીસે ભાડાના મકાનોમાં રહેતાં 17 બાંગ્લાદેશી ઘૂસણખોરની અટકાયત કરી છે. બાતમીના આધારે પોલીસ દ્વારા તમામ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. મળતી માીહિતી પ્રમાણે આ 17 લોકોમાં મોટાભાગે મહિલાઓ છે.

સોલા પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આ તમામ ધૂસણખોર બાંગ્લાદેશીઓ સાથે વિગતવાર પૂછપરછ કરવામાં આવશે. પૂછપરછ કર્યાં બાદ તેમને સરદારનગર જેએફસી સેન્ટર ખાતે મોકલવામાં આવશે. આ કેન્દ્રમાં તેમની આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને તેમના મૂળ દેશમાં પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે, ગેરકાયદેસર ઘૂસણખોરોને પકડી પાડવાની આ ઝુંબેશથી અન્ય ગેરકાયદેસર વસાહતીઓમાં ફફડાટ ફેલાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...