Sunday, November 2, 2025

ગુજરાતી ફિલ્મ ‘લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે’ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની, દર્શકોને ફિલ્મ ઘણી પસંદ આવી

Share

અમદાવાદ : સમયની સાથે ગુજરાતી સિનેમાનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે અને હવે ગુજરાતી ફિલ્મો પણ બોલિવૂડની ફિલ્મોને ટક્કર આપી રહી છે. ગત 10 ઓક્ટોબરે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ દર્શકોને એટલી પસંદ આવી રહી છે કે તેની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી થઈ રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાતી ફિલ્મ ‘લાલો, શ્રી કૃષ્ણ સદા સહાયતે ખાસ કરીને જૂનાગઢની ભૂમિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. ફિલ્મની સ્ટોરી એક રિક્ષા ચાલક યુવક પર કેન્દ્રિત છે, જે દારૂના રવાડે ચઢી જાય છે અને ખરાબ સંગતમાં ફસાઈ જાય છે. આ યુવકને સુધારવા માટે ભગવાન શ્રીકૃષ્ણ આવે છે અને તેને યોગ્ય શીખામણ આપે છે. ફિલ્મની સંપૂર્ણ સ્ટોરી ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે.ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ જૂનાગઢ શહેરના ભવનાથ, ગિરનાર, દામોદર કુંડ અને નરસિંહ મહેતાનો ચોરો જેવા પવિત્ર સ્થળોએ કરવામાં આવ્યું છે.હાલમાં આ ફિલ્મ થિયેટરોમાં ચાલી રહી છે અને તેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી રહી છે.

આ ફિલ્મમાં બધા જ યુવા કલાકારોએ અભિનય કર્યો છે, જેમના પર્ફોમન્સની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ફિલ્મ જોઈને ઘણા દર્શકોની આંખમાં હરખના આંસુ પણ જોવા મળી રહ્યા છે. દર્શકોના વાઇરલ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, “આવી ફિલ્મ અમે ક્યારેય નથી જોઈ.” આખી ફિલ્મ તેની મજબૂત સ્ટોરીલાઇન અને સ્ટારકાસ્ટના કારણે વખણાઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...

ગિરનારની લીલી પરિક્રમાની તૈયારી પૂરજોશમાં, પદયાત્રીઓને અપાઈ મહત્વની સૂચના, આવું ન કરતા !

જુનાગઢ : જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓની વ્યવસ્થાને ધ્યાન રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાધુ-સંતો ઉતારા મંડળ અને...

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...