Friday, March 20, 2026

અમદાવાદમાં ફરી એકવાર BRTS બેફામ, બસ ટ્રેકમાં રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને ઉડાવ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં BRTS ટ્રેક પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બસની ટક્કરથી મોત થયું. મળતી માહિતી મુજબ, મૃતક યુવક BRTS ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી બસે તેને અડફેટમાં લીધો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ખોડિયારનગર BRTS ટ્રેકમાંથી બે યુવકો રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે BRTS બસે એક યુવકને ટક્કર મારતા યુવકને ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું. યુવક તેના ભાઈ સાથે યુપીથી અમદાવાદ રોજગારી માટે આવ્યો હતો. બનાવની જાણ થતા કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.પોલીસ અકસ્માતના તમામ પાસાઓની તપાસ કરી રહી છે, જેમાં તે કેવી રીતે બન્યો, બસની ગતિ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કોણે કર્યું તે શામેલ છે. આવા અકસ્માતોની શ્રેણીને રોકવા માટે, BRTS ટ્રેક પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવી જરૂરી છે.

આ અકસ્માત ફરી એકવાર BRTS ટ્રેક પર માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોનું પાલન અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. BRTS ટ્રેક પર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા ડ્રાઇવરોની બેદરકારી અને બસ ડ્રાઇવરોની બેદરકારીને કારણે ઘણા નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે.

આ અગાઉ પણ અમદાવાદના નારણપુરા નજીક મોડી રાત્રે એક BRTSએ એક રાહદારીનો પગ કચડી નાખ્યો હતો. જેના પગલે ઉશ્કેરાયેલા બે માણસોએ બસની બારી તોડી નાખી અને બસમાં તોડફોડ કરી હતી. ડ્રાઇવરને બસમાંથી ઉતારીને માર પણ મારવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...