Wednesday, January 21, 2026

રાણીપમાં જ્વેલર્સમાં લૂંટ કરવાનો મહિલાનો નિષ્ફળ પ્રયાસ, વેપારીએ ઝીંકી દીધા ફડાકા, જુઓ CCTV Video

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના રાણીપ વિસ્તારમાં સોનાની દુકાનમાં સોની એકલો બેઠો હતો ત્યારે એક મહિલા ઘૂસી ગઈ. ગ્રાહક બનીને તેણે અચાનક હાથમાં રહેલા મરચાના પાવડર સોનીની આંખોમાં નાખવાનો પ્રયાસ કર્યો. જોકે, જ્યારે મરચાનો પાવડર સોનીની આંખો સુધી ન પહોંચ્યો, ત્યારે સોની તરત જ ઉભો થઈ અને મહિલા પર સતત 20 લાફા માર્યા. આખી ઘટના CCTVમાં કેદ થઈ ગઈ. સોનીએ ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો છે, પરંતુ પોલીસે મહિલાની તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાણીપ વિસ્તારમાં આ ઘટના ત્રણેક દિવસ પહેલા બની હતી. રાણીપ શાકમાર્કેટ પાસે સોના-ચાંદીની દુકાનમાં બપોરના સમયે સોની બેઠા હતા. ત્યારે એક મહિલા ગ્રાહક બનીને આવી હતી. આ મહિલા દુકાનમાં આવતાં જ તેણે પોતાની પાસેનો મરચાંનો પાઉડર સોનીની આંખમાં નાખીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો.જોકે આ પાઉડર સોનીની આંખમાં ગયો નહોતો. બાદમાં સોનીને મહિલાના ઇરાદાની જાણ થતાં તેણે પોતાની જગ્યાએથી ઊભા થઈને મહિલાને એક બાદ એક 20 લાફા મારી દીધા હતા.સોની ટેબલ પરથી કૂદી ગયો અને મહિલાને દુકાનમાંથી બહાર ખેંચી ગયો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ.

રાણીપ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કેતન વ્યાસે જણાવ્યું કે સોની ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કરી રહ્યો છે, પરંતુ પોલીસે CCTV ફૂટેજના આધારે મહિલાની તપાસ શરૂ કરી દીધી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...