Wednesday, January 21, 2026

અમદાવાદ પૂર્વમાં ટ્રાફિકજામ ઘટાડવા આ રોડ પહોળો કરાશે, 41 મિલ્કતો કપાતમાં જશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ પૂર્વમાં મણિનગર, કાંકરિયા, દાણી લીમડા અને રાયપુર દરવાજા આ તમામ પૂર્વીય અમદાવાદના ખૂબ જ વ્યસ્ત માનવામાં આવતા વિસ્તારો છે, અહીં રોજ ટ્રાફિકની સમસ્યા રહે છે. અમદાવાદ મ્યુ કોર્પોરેશનના ખાડિયા વોર્ડમાં આવેલા રાયપુર દરવાજાથી કાંકરિયા લેકફ્રન્ટ સુધીના રસ્તાને પહોળો કરશે જેથી આ વ્યસ્ત વિસ્તારમાં ભારે ટ્રાફિક સમસ્યાને હળવી કરી શકાય. રિવાઇઝ્ડ ડેવલપમેન્ટ પ્લાન હેઠળ આ રસ્તો હાલના 15 મીટરથી વધારી 25 મીટર પહોળો કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ પહોળો કરવા માટે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં રાયપુર દરવાજાથી કાંકરિયા લેકફ્રન્ટ સુધીના રસ્તાને પહોળો કરાશે. જેથી આ વ્યસ્ત વિસ્તારમાં ભારે ટ્રાફિક સમસ્યાને હળવી કરી શકાય.જેમાં રોડ પર આવતા 7 રેસીડેન્શિયલ અને 31 કોમર્શિયલ તથા એક ધાર્મિક સ્થળની દેરી, એક ટોઈલેટ સહિત કુલ 41 મિલ્કત કપાતમાં જશે. આ રોડ કપાત માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવશે.શહેરના રાયપુર દરવાજાથી કાંકરિયા તળાવ સુધીના રોડ પર 10 એકર મોલથી વોરાના રોજા સુધીના બોટલનેક 15.25 મીટરના વન- વે રોડને 24.38 મીટર પહોળો કરવામાં આવશે.

આ રોડ પૈકી 10 એકર મોલથી વોરાના રોજા સુધીના 15-25 મી રોડ વન-વે છે. આ રોડને પહોળો કરવા હેતુસર રોડલાઈન પ્રિસ્ક્રાઈબ કરવા માટે બે અગ્રણી વર્તમાનપત્રમાં જાહેરખબર આપીને 30 દિવસમાં વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જોકે, હજુ સુધી મધ્ય ઝોનના એસ્ટેટ ડ્રોઇંગ બાન્ય તેમજ એસ્ટેટ- ટીડીઓ વિભાગને એકપણ વાંધા અરજી કરવામાં આવી નથી.

આ રસ્તો શહેરના પૂર્વ ભાગના મહત્વના માર્ગોમાંનો એક છે. અહીં પિક અવર્સમાં વાહનોની લાંબી કતારો હોય છે. સારંગપુર બ્રિજ સમારકામ માટે બંધ હોવાથી સમસ્યા વધી છે, જેના કારણે રહેવાસીઓને શહેરના પશ્ચિમ ભાગો તરફ જવા માટે ખોખરા બ્રિજનો ઉપયોગ કરવો પડે છે.

તાજેતરમાં જ અહીં ફિલ્મફેર યોજાયો હતો. આ સાથે કાંકરિયા ખાતે પર્યટકો આવતા રહે છે અને અલગ અલગ ઉજવણીઓ પણ થતી રહે છે, તે સમયે અહીં ટ્રાફિકનો ધસારો ખૂબ જ રહે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...