Monday, May 11, 2026

અમદાવાદ પૂર્વમાં ટ્રાફિકજામ ઘટાડવા આ રોડ પહોળો કરાશે, 41 મિલ્કતો કપાતમાં જશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ પૂર્વમાં મણિનગર, કાંકરિયા, દાણી લીમડા અને રાયપુર દરવાજા આ તમામ પૂર્વીય અમદાવાદના ખૂબ જ વ્યસ્ત માનવામાં આવતા વિસ્તારો છે, અહીં રોજ ટ્રાફિકની સમસ્યા રહે છે. અમદાવાદ મ્યુ કોર્પોરેશનના ખાડિયા વોર્ડમાં આવેલા રાયપુર દરવાજાથી કાંકરિયા લેકફ્રન્ટ સુધીના રસ્તાને પહોળો કરશે જેથી આ વ્યસ્ત વિસ્તારમાં ભારે ટ્રાફિક સમસ્યાને હળવી કરી શકાય. રિવાઇઝ્ડ ડેવલપમેન્ટ પ્લાન હેઠળ આ રસ્તો હાલના 15 મીટરથી વધારી 25 મીટર પહોળો કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ પહોળો કરવા માટે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં રાયપુર દરવાજાથી કાંકરિયા લેકફ્રન્ટ સુધીના રસ્તાને પહોળો કરાશે. જેથી આ વ્યસ્ત વિસ્તારમાં ભારે ટ્રાફિક સમસ્યાને હળવી કરી શકાય.જેમાં રોડ પર આવતા 7 રેસીડેન્શિયલ અને 31 કોમર્શિયલ તથા એક ધાર્મિક સ્થળની દેરી, એક ટોઈલેટ સહિત કુલ 41 મિલ્કત કપાતમાં જશે. આ રોડ કપાત માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવશે.શહેરના રાયપુર દરવાજાથી કાંકરિયા તળાવ સુધીના રોડ પર 10 એકર મોલથી વોરાના રોજા સુધીના બોટલનેક 15.25 મીટરના વન- વે રોડને 24.38 મીટર પહોળો કરવામાં આવશે.

આ રોડ પૈકી 10 એકર મોલથી વોરાના રોજા સુધીના 15-25 મી રોડ વન-વે છે. આ રોડને પહોળો કરવા હેતુસર રોડલાઈન પ્રિસ્ક્રાઈબ કરવા માટે બે અગ્રણી વર્તમાનપત્રમાં જાહેરખબર આપીને 30 દિવસમાં વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જોકે, હજુ સુધી મધ્ય ઝોનના એસ્ટેટ ડ્રોઇંગ બાન્ય તેમજ એસ્ટેટ- ટીડીઓ વિભાગને એકપણ વાંધા અરજી કરવામાં આવી નથી.

આ રસ્તો શહેરના પૂર્વ ભાગના મહત્વના માર્ગોમાંનો એક છે. અહીં પિક અવર્સમાં વાહનોની લાંબી કતારો હોય છે. સારંગપુર બ્રિજ સમારકામ માટે બંધ હોવાથી સમસ્યા વધી છે, જેના કારણે રહેવાસીઓને શહેરના પશ્ચિમ ભાગો તરફ જવા માટે ખોખરા બ્રિજનો ઉપયોગ કરવો પડે છે.

તાજેતરમાં જ અહીં ફિલ્મફેર યોજાયો હતો. આ સાથે કાંકરિયા ખાતે પર્યટકો આવતા રહે છે અને અલગ અલગ ઉજવણીઓ પણ થતી રહે છે, તે સમયે અહીં ટ્રાફિકનો ધસારો ખૂબ જ રહે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...