Tuesday, January 20, 2026

ચાંદલોડિયામાં બ્રાન્ડેડ દારૂની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનું કૌભાંડ ઝડપાયું

spot_img
Share

અમદાવાદ : શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાંદલોડિયામાં બ્રાન્ડેડ વિદેશી દારૂના નામે સસ્તો દારૂ વેચવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સોલા પોલીસે આ ઠગાઈભર્યા કૃત્યને અંજામ આપનાર એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોલા પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ બ્રાન્ડેડ વિદેશી દારૂની ખાલી બોટલોમાં સસ્તો અને હલકી ગુણવત્તાનો દારૂ ભરીને ઊંચા ભાવે ગ્રાહકોને વેચી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને આ ગુનાને અંજામ આપનાર આરોપી કિરણ ખટીક નામના શખ્સની ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સોલા પોલીસે બાતમીના આધારે ચાંદલોડિયામાં આવેલી ગજરાજ સોસાયટીના મકાનમાં રેડ કરી હતી. પોલીસે રેડ દરમિયાન દારૂની અનેક બોટલ કબજે કરી હતી. આ ઉપરાંત દારૂની બોટલ સાથે કિરણ ખટીક નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલ લાવતો હતો, જેમાં સસ્તો દારૂ ભરીને વેચી દેતો હતો.આરોપી પાસેથી દારૂ ભરેલી 52 બોટલ મળી આવી છે, જ્યારે બ્રાન્ડેડ દારૂની પણ 13 ખાલી બોટલ મળી આવી છે.

આરોપી પાસેથી 19931 રૂપિયાના દારૂ સહિત કુલ 24931 રૂપિયાનો મુદ્દામાલા કબજે કરવામાં આવ્યો છે. આરોપી દારૂ ક્યાંથી લાવતો હતો અને કોને વેચતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસની આ કાર્યવાહીથી બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...