Sunday, January 25, 2026

ગુજરાતમાં હાઈએલર્ટ વચ્ચે આ મંદીરોની સુરક્ષામાં વધારો કરાયો, દરેક પ્રવાસીનું થઈ રહ્યું છે ચેકિંગ

spot_img
Share

અમદાવાદ : દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું છે. દરેક સ્થળો પર સુરક્ષાને લઈને પોલીસને સતર્ક કરાઈ છે. અમદાવાદમાં પણ ભદ્રકાળી મંદિર પાસે ચેકિંગ હાથ ધરાયું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્યના પોલીસ વડા (DGP) વિકાસ સહાયે તાત્કાલિક અસરથી રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા માટે આદેશો જારી કર્યા છે.રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું છે.

રાજ્યના ત્રણ વિખ્યાત મદિરોમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે, અંબાજી, શામળાજી અને જગન્નાથજી મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે. દર્શન કરવા આવતા ભક્તોને સુરક્ષા કર્મીઓ ચેકિંગ કરી રહ્યા છે. શક્તિ દ્વાર પાસે મેટલ ડિટેક્ટર દ્વારા સઘન ચેકીંગ કરી રહ્યા છે.

અંબાજી મંદિર ખાતે 24 કલાક માટે LMG સાથે સુરક્ષા ગાર્ડ પણ તૈનાત રાખવામાં આવ્યા છે. મંદિરના તમામ ગેટ પર ભારે સુરક્ષા વ્યવસ્થા જોવા મળી છે,ગઈ કાલે રાત્રે BDS ટીમ અને ડોગ સ્ક્વોડ ટીમ પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

અમદાવાદમાં આવેલા સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ છે.જગન્નાથ મંદિરમાં આવતા દર્શનાર્થીઓ અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

યાત્રાધામ શામળાજી મંદિરમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે. શામળાજીમાં SRPના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ચુસ્ત બંદોબસ્ત હેઠળ મંદિરમાં દર્શન માટે આવતા ભક્તોનું પણ ચેકિંગ હાથ ધર્યું છે.

આ એલર્ટના પગલે રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં ભીડભાડવાળા વિસ્તારો જેવા કે રેલવે સ્ટેશન, એસ.ટી. બસ સ્ટેશન, મોલ, એરપોર્ટ અને અન્ય જાહેર સ્થળોએ પોલીસ દ્વારા ખાસ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં ધાર્મિક સ્થળો, ખાસ કરીને મોટા મંદિરો પર સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

ગાંધીનગર મંત્રી નિવાસ સ્થાન તરફના રસ્તા સુરક્ષા વધારો કરાયો છે. એલર્ટના પગલે સર્કિટ હાઉસથી મંત્રી નિવાસ સ્થાન સુધી બેરિકેટિંગ કરાયું છે. ગાંધીનગરથી પસાર થતા વાહનોને રોકીને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...