Tuesday, November 11, 2025

ગુજરાતમાં હાઈએલર્ટ વચ્ચે આ મંદીરોની સુરક્ષામાં વધારો કરાયો, દરેક પ્રવાસીનું થઈ રહ્યું છે ચેકિંગ

spot_img
Share

અમદાવાદ : દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું છે. દરેક સ્થળો પર સુરક્ષાને લઈને પોલીસને સતર્ક કરાઈ છે. અમદાવાદમાં પણ ભદ્રકાળી મંદિર પાસે ચેકિંગ હાથ ધરાયું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્યના પોલીસ વડા (DGP) વિકાસ સહાયે તાત્કાલિક અસરથી રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા માટે આદેશો જારી કર્યા છે.રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું છે.

રાજ્યના ત્રણ વિખ્યાત મદિરોમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે, અંબાજી, શામળાજી અને જગન્નાથજી મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે. દર્શન કરવા આવતા ભક્તોને સુરક્ષા કર્મીઓ ચેકિંગ કરી રહ્યા છે. શક્તિ દ્વાર પાસે મેટલ ડિટેક્ટર દ્વારા સઘન ચેકીંગ કરી રહ્યા છે.

અંબાજી મંદિર ખાતે 24 કલાક માટે LMG સાથે સુરક્ષા ગાર્ડ પણ તૈનાત રાખવામાં આવ્યા છે. મંદિરના તમામ ગેટ પર ભારે સુરક્ષા વ્યવસ્થા જોવા મળી છે,ગઈ કાલે રાત્રે BDS ટીમ અને ડોગ સ્ક્વોડ ટીમ પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

અમદાવાદમાં આવેલા સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ છે.જગન્નાથ મંદિરમાં આવતા દર્શનાર્થીઓ અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

યાત્રાધામ શામળાજી મંદિરમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે. શામળાજીમાં SRPના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ચુસ્ત બંદોબસ્ત હેઠળ મંદિરમાં દર્શન માટે આવતા ભક્તોનું પણ ચેકિંગ હાથ ધર્યું છે.

આ એલર્ટના પગલે રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં ભીડભાડવાળા વિસ્તારો જેવા કે રેલવે સ્ટેશન, એસ.ટી. બસ સ્ટેશન, મોલ, એરપોર્ટ અને અન્ય જાહેર સ્થળોએ પોલીસ દ્વારા ખાસ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં ધાર્મિક સ્થળો, ખાસ કરીને મોટા મંદિરો પર સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

ગાંધીનગર મંત્રી નિવાસ સ્થાન તરફના રસ્તા સુરક્ષા વધારો કરાયો છે. એલર્ટના પગલે સર્કિટ હાઉસથી મંત્રી નિવાસ સ્થાન સુધી બેરિકેટિંગ કરાયું છે. ગાંધીનગરથી પસાર થતા વાહનોને રોકીને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...