Friday, January 23, 2026

અમદાવાદના આ વિસ્તારમાં AMCનું નવું નજરાણું, 4.5 કરોડના ખર્ચે ‘વિસરાતી ગેમ્સ’ થીમ પર બનેલા ગાર્ડનનું લોકાર્પણ

spot_img
Share

અમદાવાદ : બોપલ વિસ્તારના રહેવાસીઓ માટે ખુશીના સમાચાર છે. શહેરને વધુ એક સુંદર અને વિશિષ્ટ થીમ આધારિત ગાર્ડનની ભેટ મળવા જઈ રહી છે. શહેરને વધુ એક સુંદર અને વિશિષ્ટ થીમ આધારિત ગાર્ડનની ભેટ મળવા જઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાઉથ બોપલ ખાતે અંદાજે 11,600 ચોરસ મીટરની વિશાળ જગ્યામાં તૈયાર કરાયેલા અદ્યતન ગાર્ડનનું લોકાર્પણ ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે. આ નવનિર્મિત ગાર્ડનનું લોકાર્પણ આગામી 13 નવેમ્બરના રોજ કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાઉથ બોપલ વિસ્તારમાં AMC દ્વારા ઇલેક્ટ્રોથર્મ કંપની સાથે પીપીપી ધોરણે ગાર્ડનના ફરતે અને વચ્ચે ચાલી શકે તેવા વોકિંગ ટ્રેક બનાવવામાં આવેલા છે. સવારના સમયે લોકો કસરત કરી શકે તેના માટે ઓપન જીમ પણ બનાવવામાં આવેલું છે. ગાર્ડનમાં નાના તળાવ જેવું પણ બનાવવામાં આવેલું છે જેથી તળાવની ફરતે ચાલતા હોય તેવી અનુભૂતિ થાય અને લોકોને ગાર્ડનમાં ચાલવાની મજા પડશે. ગાર્ડનમાં ખાસ કરીને નાના બાળકોને આજના કોમ્પ્યુટર યુગમાં ભુલાઈ ગયેલી જૂની રમતોને યાદ અપાવે એવી રમતો રમી શકે તેના માટેનો વિભાગ બનાવવામાં આવ્યો છે.AMC દ્વારા આ ગાર્ડનને લગભગ રૂ 4.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે, જે બોપલ વિસ્તારના રહીશો માટે એક મહત્વની સુવિધા બની રહેશે.

આ ગાર્ડનની સૌથી મોટી વિશેષતા તેની ‘વિસરાતી ગેમ્સ’ની થીમ છે. આ થીમ સાથે ગાર્ડનમાં બાળકો માટે એક સ્પેશિયલ સેક્શન તૈયાર કરવામાં આવ્યો છે. આ સેક્શનમાં આજના ડિજિટલ યુગમાં વિસરાઈ રહેલી પરંપરાગત રમતોને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ખાસ સેક્શનમાં સાપસીડી, પગથિયાં (લંગડી) અને ઉઠક બેઠકની ડિઝાઇનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બાળકોને આકર્ષવા માટે અહીં ગુફાઓના સ્ટ્રક્ચર સહિતનું આકર્ષક બાંધકામ પણ કરવામાં આવ્યું છે. આ થીમ આધારિત વિભાગ બાળકોને શારીરિક પ્રવૃત્તિ સાથે જોડશે અને તેમને ભારતીય પરંપરાગત રમતોથી પરિચિત કરાવશે.

સાઉથ બોપલ વિસ્તારમાં બનાવવામાં આવેલા આ ગાર્ડનમાં ફુવારો પણ બનાવવામાં આવેલો છે જેનાથી આ ગાર્ડનની શોભા ખૂબ વધશે. સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ગાર્ડન નાગરિકો માટે ખુલ્લો રહેશે. ગાર્ડનમાં અંદાજિત 21 પ્રકારના મોટા વૃક્ષ અને 14 પ્રકારના ફળ અને ફૂલોના છોડ વાવવામાં આવ્યા છે. કુલ 1200 મોટા વૃક્ષ અને 1800 નાનાં ઝાડ છે. આ ગાર્ડનમાં સૌથી વધારે લોકોને ચાલવા અને બેસવાની મજા પડી જશે અને રાત્રિના સમયે પણ ગાર્ડન ઝળહળી ઊઠે એવી લાઈટ રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...