Monday, November 17, 2025

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂર્ણ થવાને આરે, ટૂંક સમયમાં ટ્રાયલ રનની શક્યતા, PM મોદીએ કરી સમીક્ષા

spot_img
Share

અમદાવાદ : મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા ભારતની પહેલી બુલેટ ટ્રેનનું કામ હવે પૂર્ણ થવાને આરે છે. ગુજરાતમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હવે પૂર્ણ થવા આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિરસા મુંડાની 150મી જન્મ જયંતી પર ગુજરાત આવ્યાં હતાં. આ દરમિયાન પીએમ મોદીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત પ્રવાસ દરમિયાન સુરતમાં આવેલી બુલેટ ટ્રેન સ્ટેશન પર પીએમ મોદી પહોંચ્યાં હતાં.ગુજરાતમાં સુરત અને નવસારીના બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનું ટ્રાયલ રન શરૂ થશે, જ્યાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પણ અગાઉ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી.મુંબઈ અને અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કુલ 12 સ્ટેશન છે. ગુજરાતના ભાગમાં આવેલા બુલેટ પ્રોજેક્ટનું કામ પૂર્ણ થવા આવ્યું છે.એવી આશા છે કે, હવે ટૂંક સમયમાં લોકો બુલેટ ટ્રેનમાં સવારી કરતા થઈ જવાના છે. બુલેટ ટ્રેનના કારણે અમદાવાદથી મુંબઈ માત્ર 2 કલાક અને 7 મિનિટમાં જ પહોંચી શકાશે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો, 508 કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર પહેલી બુલેટ ટ્રેન બીલીમોરાથી સુરત સુધી દોડશે. આ સેક્શન 2027માં ખુલશે. ગુજરાતમાં તમામ કામ 2028 સુધીમાં પૂર્ણ થઈ જશે તેવી આશા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેનની પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે પહેલી વાર ગ્રાઉન્ડ ઝીરોની મુલાકાત લીધી હતી.આ વખતે અહીં કામ કરતા ઇજનેરો અને કર્મચારીઓ સાથે ખાસ વાતચીત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ એવી અટકળો ચાલી રહી છે કે જાપાની બુલેટ ટ્રેન ટૂંક સમયમાં ગુજરાતમાં આવી શકે છે. વૈષ્ણવની સાથે જાપાની પ્રધાનોએ પણ ગુજરાતમાં બુલેટ ટ્રેનની પ્રગતિનું નિરીક્ષણ કર્યું છે. પીએમ મોદીએ અનેક વખત જણાવ્યું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તેમનું એક સપનું રહ્યું છે, જે પૂર્ણ થવા આવ્યું છે.

આ પ્રોજેક્ટના કારણે ગુજરાતના અનેક શહેરોના વિકાસને વેગ મળવાનો છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને આણંદ શહેરો સામેલ છે. ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના 8 સ્ટેશનોનું બાંધકામ કામ પૂર્ણ થઈ ગયું છે. હવે આ સ્ટેશનો પર બાકીની સુવિધાઓ માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...