Thursday, January 22, 2026

આવકવેરા વિભાગના નિવૃત આસિસ્ટન્ટ કમિશનર ઉમેશ પાઠકના કાર્યો અને સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં યોગદાનને ઉજાગર કરતા પુસ્તકનું વિમોચન

spot_img
Share

અમદાવાદ :આવકવેરા વિભાગના નિવૃત આસિસ્ટન્ટ કમિશનર અને વરિષ્ઠ સનદી અધિકારી શ્રી ઉમેશ પાઠકના કાર્યો અને સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં તેમના અદ્વિતીય યોગદાનને ઉજાગર કરતા પુસ્તકનું તાજેતરમાં વિમોચન કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલ એક સ્પોર્ટ્સ ક્લબમાં વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ એક વિશેષ સમારંભમાં ઉમેશ પાઠકના કાર્યો અને સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં યોગદાનને ઉજાગર કરતા પુસ્તક ‘ઈન સર્વિસ એન્ડ સ્પિરિટ : ધ લેગસી ઉમેશ પાઠક’ નું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ સમારંભમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અજય પટેલ, ઈન્ટરનેશનલ એથ્લેટિક ફેડરેશનના સભ્ય આદિલ સુમારીવાલા, આવકવેરા કમિશનર દુર્ગાદત્ત, જયેશ મોદી અને કોકોનટ ફિલ્મ્સના રશ્મિન મજિઠિયા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી ઉમેશ પાઠકને શુભેચ્છાઓ પાઠવી હતી.

શ્રી ઉમેશ પાઠક 31 ઓક્ટોબરે નિવૃત્ત થયા હતા. તેમની કારકિર્દી દરમિયાન તેમણે આવકવેરા વિભાગમાં અનેક નવી શરુઆત કરી હતી અને સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ રહ્યા હતા.તેઓને વય નિવૃતિની અનેક શુભેચ્છાઓ.

આ પ્રસંગે ઇનક્મટેક્સ ઇન્સ્પેક્ટરથી માંડી સહાયક કમિશ્નરની પોતાની સર્વિસના સેવાકાળ દરમિયાન રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિ ક્ષેત્રે પોતાના અમુલ્ય યોગદાન બદલ ઇનક્મટેક્સ ડિપાર્ટમેન્ટે એમની સિદ્ધિ બિરદાવી હતી.

આ ઉપરાંત બિલિયર્ડ્સના જાણીતા ખેલાડી ગીત સેઠીએ તેમના સંદેશમાં જણાવ્યું કે શ્રી ઉમેશ પાઠકનો રમતજગતનો અભ્યાસ અને ખેલાડીઓને મદદ કરવાની તેમની લાગણી દરેક મુલાકાતમાં સ્પષ્ટ જણાતી હતી.

રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પણ શ્રી ઉમેશ પાઠકની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે અનેક યુવા ખેલાડીઓને પ્રેરણા આપી છે અને રમત ક્ષેત્રે તેમના યોગદાનને ભૂલવું શક્ય નથી.

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે શ્રી ઉમેશ પાઠકના ક્રિકેટ ક્ષેત્રના યોગદાનની વાત કરતાં જણાવ્યું કે તેઓ પોતે ખાસ કરીને રણજી ટ્રોફીમાં પાઠકની ખેલાડી તરીકેની સફરના સાક્ષી રહ્યા છે.

આ પુસ્તકનું વિમોચન માત્ર એક અધિકારીના કામોને દર્શાવવા માટે જ ન હતું, પરંતુ તે એવો સંદેશ આપતો પ્રસંગ પણ હતો કે સરકારી સેવાની સાથે કલા અને રમતગમત સહિતના ક્ષેત્રમાં પણ મહત્વનું યોગદાન આપી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી ઉમેશભાઇ જે.પાઠક Income-Tax, CBI, NCB અને BCCI જેવા ભારતના પ્રતિષ્ઠિત સરકારી વિભાગોમાં 38 વર્ષની દીર્ઘકાલીન અને પ્રેરણાદાયી ફરજો બજાવી છે. મિર્ચી ન્યૂઝ પરિવાર તેઓને વય નિવૃત્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવે છે….

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...