Thursday, January 22, 2026

દિલ્હી બ્લાસ્ટ બાદ હાઇ એલર્ટ: અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, તમામ ગેરેજ માલિકો માટે નવા નિયમો જાહેર, વાંચી લો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ગુનેગારો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવા માટે ચોરી કરેલા વાહનોના ઉપયોગને રોકવા અને શહેરની કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું ખાસ કરીને શહેરના તમામ ગેરેજ અને વાહન રિપેરિંગ સેન્ટર્સના માલિકોને લાગુ પડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. માલિક દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે. કારણ કે ગેંગના સભ્યો ગુનાખોરી માટે ચોરી કરેલા વાહનનો ઉપયોગ કરતા હોય છે. તેમજ પોલીસથી બચવા માટે ચોરી કરેલા વાહનોનું મોડીફિકેશન કરવી દેતા હોય છે. પરંતુ જો મોડીફિકેશન થયા બાદ પણ વાહનોની પૂર્તિ વિગતો હોય તો પોલીસને ગુનેગારો સુધી પહોંચવામાં સરળતા થતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને કોઈ મોટી ઘટના ન બને તે માટે પહેલાથી જ સતર્ક થઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તમામ નિયમોનું પાલન કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

અમદાવાદના નાગરિકોની સલામતી, તેમજ વાહનોની ગેરકાયદેસર હેરફેર, મોડીફિકેશન માટે આવતા તમામ વાહનોનું અને જે તે વાહન માલિકનું વિગતો સાથેનું રજિસ્ટર્ડ મેન્ટેન રાખવા માટે ફરજિયાત કરવામાં આવ્યું છે:

રજિસ્ટર્ડમાં શું શું વિગતો મેન્ટેન રાખવી પડશે?

વાહનનો પ્રકાર અને તેની કંપનીનું નામ
વાહનનો રજિસ્ટ્રેશન નંબર
એન્જિન નંબર
ચેસીસ નંબર
વાહન માલિકનું નામ, સરનામું અને મોબાઇલ નંબર તથા ઓળખકાર્ડની વિગતો
વાહન જે તે ગેરેજ કે સર્વિસ સ્ટેશનમાં મુક્યા તારીખ
વાહન ગેરેજમાંથી લઇ જવાની તારીખ
ગેરેજ સર્વિસ સ્ટેશનમાં વાહન આપનાર અને લઇ જનારનું નામ સરનામું અને વિગતો
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા આ તમામ વિગતો સાથેનું એક રજિસ્ટર્ડ મેન્ટેન રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

જાહેરનામું બહાર પાડવાનો શું છે હેતુ?
અમદાવાદ પોલીસ દ્વારા આ કડક પગલું લેવા પાછળનો મુખ્ય હેતુ ગુનાખોરી પર નિયંત્રણ લાવવાનો છે. અવારનવાર જોવા મળે છે કે ચોરી કરેલા વાહનોનો ઉપયોગ લૂંટ, ચેઇન સ્નેચિંગ અને અન્ય ગંભીર ગુનાઓ આચરવા માટે કરવામાં આવે છે. ગેરેજમાં આવતા પ્રત્યેક વાહનના ડેટાની નોંધણી ફરજિયાત કરવાથી, ગુનેગારોને ટ્રેક કરવામાં અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવામાં પોલીસને સરળતા રહેશે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામાનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે પોલીસે તમામ ગેરેજ માલિકોને અપીલ કરી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...