Saturday, April 25, 2026

દિલ્હી બ્લાસ્ટ બાદ હાઇ એલર્ટ: અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, તમામ ગેરેજ માલિકો માટે નવા નિયમો જાહેર, વાંચી લો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ગુનેગારો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવા માટે ચોરી કરેલા વાહનોના ઉપયોગને રોકવા અને શહેરની કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું ખાસ કરીને શહેરના તમામ ગેરેજ અને વાહન રિપેરિંગ સેન્ટર્સના માલિકોને લાગુ પડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. માલિક દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે. કારણ કે ગેંગના સભ્યો ગુનાખોરી માટે ચોરી કરેલા વાહનનો ઉપયોગ કરતા હોય છે. તેમજ પોલીસથી બચવા માટે ચોરી કરેલા વાહનોનું મોડીફિકેશન કરવી દેતા હોય છે. પરંતુ જો મોડીફિકેશન થયા બાદ પણ વાહનોની પૂર્તિ વિગતો હોય તો પોલીસને ગુનેગારો સુધી પહોંચવામાં સરળતા થતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને કોઈ મોટી ઘટના ન બને તે માટે પહેલાથી જ સતર્ક થઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તમામ નિયમોનું પાલન કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

અમદાવાદના નાગરિકોની સલામતી, તેમજ વાહનોની ગેરકાયદેસર હેરફેર, મોડીફિકેશન માટે આવતા તમામ વાહનોનું અને જે તે વાહન માલિકનું વિગતો સાથેનું રજિસ્ટર્ડ મેન્ટેન રાખવા માટે ફરજિયાત કરવામાં આવ્યું છે:

રજિસ્ટર્ડમાં શું શું વિગતો મેન્ટેન રાખવી પડશે?

વાહનનો પ્રકાર અને તેની કંપનીનું નામ
વાહનનો રજિસ્ટ્રેશન નંબર
એન્જિન નંબર
ચેસીસ નંબર
વાહન માલિકનું નામ, સરનામું અને મોબાઇલ નંબર તથા ઓળખકાર્ડની વિગતો
વાહન જે તે ગેરેજ કે સર્વિસ સ્ટેશનમાં મુક્યા તારીખ
વાહન ગેરેજમાંથી લઇ જવાની તારીખ
ગેરેજ સર્વિસ સ્ટેશનમાં વાહન આપનાર અને લઇ જનારનું નામ સરનામું અને વિગતો
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા આ તમામ વિગતો સાથેનું એક રજિસ્ટર્ડ મેન્ટેન રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

જાહેરનામું બહાર પાડવાનો શું છે હેતુ?
અમદાવાદ પોલીસ દ્વારા આ કડક પગલું લેવા પાછળનો મુખ્ય હેતુ ગુનાખોરી પર નિયંત્રણ લાવવાનો છે. અવારનવાર જોવા મળે છે કે ચોરી કરેલા વાહનોનો ઉપયોગ લૂંટ, ચેઇન સ્નેચિંગ અને અન્ય ગંભીર ગુનાઓ આચરવા માટે કરવામાં આવે છે. ગેરેજમાં આવતા પ્રત્યેક વાહનના ડેટાની નોંધણી ફરજિયાત કરવાથી, ગુનેગારોને ટ્રેક કરવામાં અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવામાં પોલીસને સરળતા રહેશે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામાનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે પોલીસે તમામ ગેરેજ માલિકોને અપીલ કરી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...