Sunday, January 25, 2026

સાબરમતી રિવરફ્રન્ટની મજા હવે શાહીબાગ, ડફનાળા અને ઈન્દિરા બ્રિજ સુધી, ફેઝ-2નું કામ પૂરજોશમાં, જાણો ક્યારે બનશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટના બીજા તબક્કા હેઠળ શાહીબાગ ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સુધી બંને તરફ કુલ 11 કિલોમીટર લંબાઈનો રોડ 1200 કરોડના ખર્ચે જાન્યુઆરી સુધીમાં નિર્માણ કરાશે.રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-ટુમાં નદીના બંને કાંઠે ગ્રીન ઝોન ઉપરાંત ચિલ્ડ્રન પ્લે એરીયા, ફુડ પ્લાઝા, આર્ટ કલ્ચર સહિતની સુવિધા વિકસાવવામાં આવશે

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-ટુ અંતર્ગત શાહીબાગ ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સુધી બંને તરફ કુલ 11 કિલોમીટર લંબાઈનો રોડનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે, અને જાન્યુઆરી સુધીમાં બની જશે. રૂપિયા 1200 કરોડના ખર્ચથી શરૂ કરવામા આવેલા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-ટુમાં નદીના બંને કાંઠે ગ્રીન ઝોન હશે. ઉપરાંત ચિલ્ડ્રન પ્લે એરીયા, ફુડ પ્લાઝા, આર્ટ કલ્ચર સહિતની અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવાશે. ફેઝ-ટુ ની કામગીરી પુરી થયા પછી વાસણા બેરેજથી ઈન્દિરાબ્રિજ સુધી નદી કિનારે શહેરીજનો લોંગ ડ્રાઈવની મજા માણી શકશે. શહેરીજનો માટે જુદા જુદા લેવલ ઉપર સીટીંગ વ્યવસ્થા પણ કરાશે.

ફેઝ-ટુ અંતર્ગત અત્યારસુધીમાં 56 ટકા ફીઝીકલ પ્રોગ્રેસ પુરો કરાયો છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના ફેઝ-વનમાં 11 કિલોમીટરનો રોડ બનાવાયો હતો. ફેઝ-ટુમાં બંને તરફ 5.5 કિલોમીટર એટલે કે 11 કિલોમીટરમાં ડેવલપમેન્ટ કામગીરી હાથ ધરવામાં આવી છે. ફેઝ-ટુની વિશેષતા એ છે કે સ્ટેપ્પડ એમ્બેન્કમેન્ટ ટાઈપની ડિઝાઈન કરી મહામ વૃક્ષો ઉગાડી એકટિવ તથા ગ્રીન ડેવલપમેન્ટ થીમ ઉપર કામગીરી થશે. શહેરીજનો માટે જુદા જુદા લેવલ ઉપર સીટીંગ વ્યવસ્થા પણ કરાશે.

રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત કેમ્પ સદર બજારથી ઈન્દિરા બ્રિજ સુધી તથા પશ્ચિમ કાંઠે ટોરેન્ટ પાવરથી ઈન્દિરાબ્રિજ સુધી રીટેઈનીંગ વોલ બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. બંને છેડે સરેરાશ 4500 મીટર એટલે કે કુલ 9000 મીટર લંબાઈ હશે. રીટેઈનીંગ વોલના પાછળના ભાગમાં રેતી,માટી પુરાણ, પ્લાઝા, એકસેસ, રેમ્પ, ઘાટ તથા ડ્રેનેજ લાઈનના ડાયવર્ઝનની કામગીરી હાલમાં ચાલી રહી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...