અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિતભાઈ શાહે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025ની મુલાકાત લીધી હતી. ‘વાંચે ગુજરાત 2.0’ની થીમ સાથે યોજાયેલા આ સાહિત્યિક મહાકુંભમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ હાજરી આપી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ખાતે, પ્રધાનએ હસ્તાક્ષર દીવાલ (સિગ્નેચર વોલ) પર પોતાનો વિશેષ પ્રતિભાવ લખ્યો હતો. આ પ્રતિભાવ દ્વારા તેમણે કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદની તૈયારીઓને બિરદાવી હતી.તેમણે સિગ્નેચર વોલ પર લખ્યું હતું કે: “કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદ તૈયાર છે, સુસ્વાગતમ.”
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે બુક ફેરના વિવિધ સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત લીધી હતી અને પુસ્તકો પ્રત્યે પોતાનો વિશેષ લગાવ વ્યક્ત કર્યો હતો. તેમણે આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ શાળાઓના બાળકો સાથે આત્મીય વાર્તાલાપ કર્યો હતો અને તેમને વાંચનનું મહત્વ સમજાવી પ્રોત્સાહિત કર્યા હતા.બાળકો સાથેના આ સંવાદે મહોત્સવમાં એક ઉષ્માભર્યો માહોલ સર્જ્યો હતો.
Ahmedabad is ready for athletes from “Commonwealth” countries.
Welcome!Shri Amit Shah
Member of Parliament, Gandhinagar Loksabha and
Minister for Home and Cooperation ,Government of India#AhmedabadWelcomesAthletes #CommonwealthAthletes #AhmedabadIsReady #SportsSpirit… pic.twitter.com/mf9t5KzCMG— Amdavad Municipal Corporation (@AmdavadAMC) November 22, 2025
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે મોરબીમાં જણાવ્યું હતું કે, બિહાર ચૂંટણીમાં જબરદસ્ત જીત નોંધાવ્યા બાદ, એનડીએ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પણ જીતશે અને ત્યાં સરકાર બનાવશે. મોરબીમાં ભાજપના નવનિર્મિત જિલ્લા મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ એક સભાને સંબોધતા શાહે કોંગ્રેસ પર પોતાની વોટ બેંકની રાજનીતિ માટે ઘૂસણખોરોને સમર્થન આપવાનો અને તેમને બચાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.
અમિત શાહે કહ્યું કે તેમની પાર્ટી દરેક ઘૂસણખોરને દેશમાંથી બહાર કાઢવાનો પાક્કો ઇરાદો ધરાવે છે. તેમણે કહ્યું કે ઘૂસણખોરોને દેશની લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેવાનો કોઈ અધિકાર નથી.
તેમણે SIRનો વિરોધ કરવા બદલ કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું હતું. તેમની આ ટિપ્પણી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને કડક શબ્દોમાં લખેલા પત્રના એક દિવસ પછી આવી છે. મમતા બેનર્જીએ આ પ્રક્રિયાને તાત્કાલિક રોકવાની માંગ કરી હતી.


