Wednesday, January 21, 2026

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રજિસ્ટર વોલ પર શું લખ્યું?

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિતભાઈ શાહે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025ની મુલાકાત લીધી હતી. ‘વાંચે ગુજરાત 2.0’ની થીમ સાથે યોજાયેલા આ સાહિત્યિક મહાકુંભમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ હાજરી આપી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ખાતે, પ્રધાનએ હસ્તાક્ષર દીવાલ (સિગ્નેચર વોલ) પર પોતાનો વિશેષ પ્રતિભાવ લખ્યો હતો. આ પ્રતિભાવ દ્વારા તેમણે કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદની તૈયારીઓને બિરદાવી હતી.​તેમણે સિગ્નેચર વોલ પર લખ્યું હતું કે: “કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદ તૈયાર છે, સુસ્વાગતમ.”

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે બુક ફેરના વિવિધ સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત લીધી હતી અને પુસ્તકો પ્રત્યે પોતાનો વિશેષ લગાવ વ્યક્ત કર્યો હતો. તેમણે આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ શાળાઓના બાળકો સાથે આત્મીય વાર્તાલાપ કર્યો હતો અને તેમને વાંચનનું મહત્વ સમજાવી પ્રોત્સાહિત કર્યા હતા.બાળકો સાથેના આ સંવાદે મહોત્સવમાં એક ઉષ્માભર્યો માહોલ સર્જ્યો હતો.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે મોરબીમાં જણાવ્યું હતું કે, બિહાર ચૂંટણીમાં જબરદસ્ત જીત નોંધાવ્યા બાદ, એનડીએ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પણ જીતશે અને ત્યાં સરકાર બનાવશે. મોરબીમાં ભાજપના નવનિર્મિત જિલ્લા મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ એક સભાને સંબોધતા શાહે કોંગ્રેસ પર પોતાની વોટ બેંકની રાજનીતિ માટે ઘૂસણખોરોને સમર્થન આપવાનો અને તેમને બચાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.

અમિત શાહે કહ્યું કે તેમની પાર્ટી દરેક ઘૂસણખોરને દેશમાંથી બહાર કાઢવાનો પાક્કો ઇરાદો ધરાવે છે. તેમણે કહ્યું કે ઘૂસણખોરોને દેશની લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેવાનો કોઈ અધિકાર નથી.

તેમણે SIRનો વિરોધ કરવા બદલ કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું હતું. તેમની આ ટિપ્પણી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને કડક શબ્દોમાં લખેલા પત્રના એક દિવસ પછી આવી છે. મમતા બેનર્જીએ આ પ્રક્રિયાને તાત્કાલિક રોકવાની માંગ કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...