Monday, January 19, 2026

અમદાવાદી મુસાફરો માટે ખુશખબર, કેનેડા જવું હવે થશે વધુ સરળ બનશે, એર ઇન્ડિયા અને એર કેનેડા વચ્ચે કરાર, મળશે આ મોટા પાંચ લાભ

spot_img
Share

અમદાવાદ : એર ઇન્ડિયા અને એર કેનેડાએ ફરી એકવાર ભાગીદારી (કોડશેર કરાર) શરૂ કરી છે. આ કરાર બે ડિસેમ્બર 2025થી લાગુ થશે. જેના કારણે ખાસ કરીને અમદાવાદના લોકો માટે કેનેડા જવાની અથવા કેનેડાથી અમદાવાદ આવવાની મુસાફરી ખૂબ સરળ બની જશે. આ કરારથી અમદાવાદી મુસાફરોને પાંચ મોટા ફાયદા થશે. જેથી તેમની મુસાફરી પણ વધુ સરળતાથી થઈ શકશે. જેનું બુકિંગ પણ જલદી શરૂ થઈ જશે. મંજૂરી મળ્યા બાદ આ કોડશેર ફ્લાઈટ્સ બુકિંગ માટે ઉપલ્બધ થઈ જશે. આ કરારથી અમદાવાદની ઇન્ટરનેશનલ જોડાણમાં વધારો થશે અને પ્રવાસીઓને પણ ફાયદો થશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, એર ઈન્ડિયાએ શનિવારે જાહેરાત કરી હતી કે તેણે એર કેનેડા સાથે તેના ભાગીદારી (કોડશેર કરાર)ને પાંચ વર્ષ પછી પુનઃસ્થાપિત કર્યો છે.ફ્લાઇટ વિકલ્પો પ્રવાસીઓના પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા અને ભારત અને કેનેડા વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે, એર ઈન્ડિયાએ શનિવારે તેના સાથી સ્ટાર એલાયન્સ કેરિયર, એર કેનેડા સાથેના ભાગીદારી (કોડશેર) કરારને પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી, જે 2 ડિસેમ્બર, 2025 થી અમલમાં આવશે.

આ કરારથી મુસાફરોને થતાં ફાયદા

ફાયદા નંબર-1
એક જ ટિકિટમાં આખી મુસાફરી એટલે કે હવે કેનેડાથી અમદાવાદ આવતા મુસાફરોએ એક જ ટિકિટ બુક કરાવવાની રહેશે. ધારો કે, વાનકુવરથી દિલ્હી (એર કેનેડા) અને દિલ્હીથી અમદાવાદ (એર ઇન્ડિયા) વચ્ચે ફ્લાઈટ બદલે તો પણ ટિકિટ અલગ લેવાની જરૂર નહીં પડે.

ફાયદા નંબર-2
મુસાફરોની સૌથ મોટી તકલીફોમાં એક છે સામાન. નવા કરારને કારણે સામાનનું ટેન્શન નહીં રહે. યુનીફાઈડ લગેજ સિસ્ટમ એટલે કે દિલ્હી ખાતે સામાન ઉતારીને ફરીથી ચેક-ઇન કરવું નહીં પડે. વધારાના સામાન માટે અલગ અલગ ચાર્જ નહીં લાગે.

ફાયદા નંબર-3
મુસાફરી બિલકુલ સીમલેસ બની જશે જેથી અમદાવાદને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટીમાં મોટો ફાયદો થશે. દિલ્હી મારફતે કેનેડાથી આવતા લોકો સરળતાથી અમદાવાદ પહોંચી શકશે. એર કેનેડાના મુસાફરોને ભારતના અન્ય શહેરો જેમ કે, અમૃતસર, મુંબઇ, હૈદરાબાદ અને કોચીને પણ એ જ રીતે જોડશે.

ફાયદા નંબર-4
ગુજરાતી વિદ્યાર્થીઓ અને પરિવારો માટે વરદાન રૂપ આ કરાર સાબિત થશે. દર વર્ષે હજારો ગુજરાતી વિદ્યાર્થીઓ કેનેડા જાય છે. ધંધાર્થીઓ અને સામાન્ય પરિવારો કેનેડા મુલાકાત જતા હોય છે તેમને સરળ મુસાફરી, ઓછી ઝંઝટ અને વધુ સુવિધાઓ મળશે.

ફાયદા નંબર-5
લોયલ્ટી પ્રોગ્રામવાળાઓને વધારાના લાભ મળશે. એર ઇન્ડિયા ‘મહારાજા ક્લબ’ના એલિટ સભ્યોને એર કેનેડાની ફ્લાઈટ્સમાં વધારે સામાન, લાઉન્જ એક્સેસ, પ્રાથમિક ચેક-ઇન જેવી સુવિધાઓ મળતી રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...