Thursday, March 5, 2026

અમદાવાદમાં 4 વર્ષમાં 99 ની સામે ફક્ત 39 જ સિમેન્ટ રોડ બન્યા : કોટ વિસ્તારને ઠેંગો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો શહેરીજનોને લોભામણાં વચન તો આપે છે પણ પુરા કરી શકતા નથી. ચાર વર્ષ અગાઉ શહેરના 48 વોર્ડમાં 418 કરોડ રૂપિયાના ખર્ચથી 99 સિમેન્ટના રોડ બનાવવા જાહેરાત કરાઈ હતી. 4 વર્ષના અંતે માત્ર 37 રોડ જ બનાવી શકાયા છે. કોટ વિસ્તારને તંત્ર અને શાસકોએ ઠેંગો બતાવતા ખાડીયા વોર્ડમાં એક માત્ર સિમેન્ટનો રોડ બની શકયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર વર્ષ અગાઉ અમદાવાદમાં 48 વોર્ડમાં 418 કરોડના ખર્ચે 99 સિમેન્ટના રોડ બનાવવા જાહેરાત કરાઈ હતી.ચાર વર્ષના અંતે માત્ર 37 રોડ જ બનાવી શકાયા છે.વર્ષ 2021માં મ્યુનિસિપલ કોર્પોરેશનના સાાધારી પક્ષના હોદ્દેદારોએ બેંગલુરૂની પેટર્ન મુજબ શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારમાં સિમેન્ટના રોડ બનાવવાનો નિતી વિષયક નિર્ણય વર્ષ 2021-22ના વાર્ષિક અંદાજપત્રમાં ઠરાવ કરીને લીધો હતો.

જે કોટ વિસ્તારના કારણે અમદાવાદને આઠ વર્ષ પહેલા વૈશ્વિક હેરીટેજ શહેરનો દરજજો યુનેસ્કો દ્વારા આપવામા આવ્યો હતો. તે પૈકી એક માત્ર ખાડીયા વોર્ડમાં આવેલા જયેન્દ્ર પંડિત નગરમાં સિમેન્ટનો રોડ થોડા સમય પહેલા બનાવાયો હોવાનુ ખાડીયાના કોર્પોરેટરો તરફથી જાણવા મળ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...