Thursday, January 22, 2026

અમદાવાદ સ્વચ્છ સર્વેક્ષણમાં નંબર-1, છતાં આ જગ્યાઓ કચરાથી ખદબદે છે! AMC સફાઈ માટે 4.2 કરોડ ખર્ચશે

spot_img
Share

અમદાવાદ : ગત જુલાઈ 2025 માં જાહેર કરાયેલ સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં અમદાવાદને 10 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા મોટા શહેરોની શ્રેણીમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મળ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) શહેરના પાણી વિતરણ સ્ટેશનોની આસપાસ નાગરિકો દ્વારા ફેંકવામાં આવેલા કચરાને સાફ કરવા માટે રૂ. 4.2 કરોડ ખર્ચશે. આ સ્ટેશનો શહેરની જીવાદોરી સમાન છે, જે દરરોજ સરેરાશ 1,600 મિલિયન લિટર પાણી ઘરોમાં પહોંચાડે છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, AMCને જાણવા મળ્યું છે કે શહેરના વિવિધ ભાગોમાં આવેલા પાણી વિતરણના સ્ટેશનોના પરિસરો નાગરિકો દ્વારા ફેંકવામાં આવેલા કચરા અને ખાદ્ય કચરાના ઢગલાઓથી ખરાબ થઈ ગયા છે. આ કચરો ફેંકનારાઓમાં મોટે ભાગે સ્ટેશનો નજીક રહેતી સોસાયટીઓના રહેવાસીઓ હોય છે.

સફાઈ કામગીરી માટે, AMCની સ્ટેન્ડિંગ કમિટીએ છ મહિનાના અભિયાનમાં રૂ.4.2 કરોડ ખર્ચવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કમિટી સમક્ષ રજૂ કરાયેલા પ્રસ્તાવમાં જણાવાયું હતું કે,પૂર્વ ઝોનમાં 43 સ્ટેશનો, ઉત્તર ઝોનમાં 32 સ્ટેશનો, દક્ષિણ ઝોનમાં 46 સ્ટેશનો, પશ્ચિમ ઝોનમાં 41 સ્ટેશનો, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 34 સ્ટેશનો, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 18 સ્ટેશનો, મધ્ય ઝોનમાં 19 સ્ટેશનો આવેલા છે.

પ્રસ્તાવમાં જણાવાયું હતું કે AMCએ દરેક ઝોન માટે ઓપરેશન અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ એક-એક એજન્સીને આપ્યા છે. જોકે, હાલના કોન્ટ્રાક્ટમાં પાણી વિતરણ સ્ટેશનોની સફાઈ માટેની જોગવાઈ સામેલ નથી. નામ ન આપવાની શરતે AMCના એક અધિકારીએ જણાવ્યું કે, “જ્યારે AMCના અધિકારીઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરો પાણી વિતરણ સ્ટેશનોની મુલાકાત લે છે, ત્યારે તેઓ ગંદકી વિશે ફરિયાદ કરે છે. તેથી, અધિકારીએ જણાવ્યું કે AMCએ સ્ટેશનના કમ્પાઉન્ડની સફાઈ માટે એજન્સીઓ પાસેથી ક્વોટેશન મંગાવ્યા હતા.

અધિકારીએ કહ્યું, તેમના ભાવપત્રોમાં, દરેક ઝોનના કોન્ટ્રાક્ટરોએ 19 મહિનામાં આ કામ માટે રૂ. 14.1 કરોડનો ખર્ચ દર્શાવ્યો હતો.આ પછી, AMC કમિશનરે છ મહિનાના સમયગાળામાં સફાઈનું કામ પૂર્ણ કરવા માટે રૂ. 4.2 કરોડના ખર્ચને મંજૂરી આપી હતી. આ પ્રસ્તાવને હવે સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે.

આ પ્રસ્તાવમાં અન્ય શરતોની સાથે જણાવાયું છે કે કોન્ટ્રાક્ટરોએ આ કામગીરી કરવાની રહેશે.

પાણી વિતરણ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી ઘાસ કાપીને તેનો નિકાલ કરવો.
ઝાંખરાં, ઝાડીઓ અને બિનઉપયોગી વનસ્પતિનો નિકાલ કરવો.
વૃક્ષોનું ટ્રિમિંગ કરવું
નાગરિકો દ્વારા ફેંકવામાં આવેલા કચરો, પ્લાસ્ટિક બેગ અને ખાદ્ય કચરો દૂર કરવો.
સ્ટેશનોની સફાઈ કર્યા પછી, તમામ કચરાનો નિકાલ યોગ્ય વાહનોનો ઉપયોગ કરીને નિર્દિષ્ટ સ્થળોએ કરવામાં આવશે.
સફાઈ કામગીરી માટે રાખવામાં આવેલા કર્મચારીઓએ નિયમિતપણે સ્ટેટસ રિપોર્ટ આપવા પડશે.
કામદારોની હાજરી બાયોમેટ્રિક સિસ્ટમ પર નોંધવામાં આવશે અને તેમને કામ કરવા માટે સાધનો અને સલામતી ગિયર આપવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...