Thursday, March 5, 2026

અમદાવાદમાં કરુણ ઘટના: ચાંદખેડામાં ત્રીજા માળેથી કૂદી મહિલાએ આપઘાત કર્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં આત્મહત્યાના બનાવમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આ જોતાં સ્પષ્ટપણે લાગે છે કે શહેરમાં દરેક વોર્ડ દીઠ મનોવૈજ્ઞાનિકો જાણે નીમવા પડે તેવી સ્થિતિ છે. અમદાવાદમાં ચાંદખેડામાં એક પરીણિત મહિલાએ આત્મહત્યા કરતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ચાંદખેડામાં આવેલા દિવાળી હોમ્સમાં રહેતી મૈત્રી શ્રીમાળી નામની મહિલાએ બે દિવસ અગાઉ ફ્લેટના ત્રીજા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતાં જ આસપાસના લોકો સ્થળ ઉપર ભેગા થઈ ગયા હતા, જોકે ગંભીર ઈજા થતાં મહિલાનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું. મહિલાના આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. મહિલા પાસેથી કોઈ સુસાઇડ નોટ પણ મળી આવી નહોતી, જેથી પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

ચાંદખેડા પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવતા હતા તે પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મૈત્રીના થોડા વર્ષ પહેલાં પ્રેમલગ્ન થયા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે તેના પ્રેમલગ્ન થયા હોવા છતાં પણ તેનો પતિ સાથે મનમેળ ન હતો, તેના કારણે તે પિયરમાં ગઈ હતી. તેના સંબંધો સુધરતા તે પતિના ઘરે પરત પણ ફરી હતી. તેમને બે વર્ષનું એક બાળક પણ છે.

જો કે પોલીસને મહિલા પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી અને મહિલાએ કયા કારણથી આત્મહત્યા કરી તે જાણવા મળ્યું નથી. આના પગલે હાલમાં ચાંદખેડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.આ માટે મૃતકનો મોબાઇલ ફોન કબ્જે લઈને પોલીસે ફોરેન્સિક તપાસમાં મોકલી આપ્યો છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...