Tuesday, January 20, 2026

અમદાવાદના કેડિલા ફ્લાયઓવર પર 70 મીટર લાંબો બ્રિજ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 11મો સ્ટીલ બ્રિજ લૉન્ચ

spot_img
Share

અમદાવાદ : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એક પગથિયું ઉપર ચડ્યો છે. પ્રોજેક્ટનો 11મો 70 મીટર લાંબો સ્ટીલ બ્રિજ અમદાવાદ જિલ્લામાં કેડિલા ફ્લાયઓવર પર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો હતો.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અનુસાર, આ 670 મેટ્રિક ટન સ્ટીલ બ્રિજ ભારતીય રેલવેના અમદાવાદ-મુંબઈ ટ્રેકની સમાંતર સ્થિત છે. આ બ્રિજ 13 મીટર ઊંચો અને 14.1 મીટર પહોળો છે. જેને ગુજરાતના નવસારીમાં એક વર્કશોપમાં ડિઝાઇન કરાયો હતો. ત્યાર પછી હેવી-ડ્યુટી ટ્રેલરનો ઉપયોગ કરીને તેને સાઇટ પર લઈ જવામાં આવ્યો હતો.

આ સ્ટીલ બ્રિજ કેડિલા ફ્લાયઓવર અને ભારતીય રેલવે ટ્રેક નજીક ખાસ ડિઝાઇન કરેલા સ્ટીલ સ્ટેજીંગ પર બનાવાયો હતો, જે જમીનથી 16.5 મીટર ઉપર છે. આ સ્ટીલ બ્રિજ આશરે 29,300 ટોર્ક-શીયર ટાઇપ હાઇ સ્ટ્રેન્થ (TTHS) બોલ્ટ્સથી બનાવવામાં આવ્યો છે અને ટકાઉપણું વધારવા માટે C5 સિસ્ટમ પેઇન્ટિંગથી કોટેડ કરાયો છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે કુલ 28 સ્ટીલ પુલ બનાવવાની યોજના છે. તેમાંથી 17 ગુજરાતમાં અને 11 મહારાષ્ટ્રમાં બનાવવામાં આવી રહ્યા છે. આ સ્ટીલ પુલ ખાસ કરીને બુલેટ ટ્રેન કોરિડોરને રેલ્વે ટ્રેક, નદીઓ અને હાઇવે પરથી પસાર થવા દેવા માટે બનાવવામાં આવી રહ્યા છે. બુલેટ ટ્રેનનો પહેલો તબક્કો 2027માં શરૂ થવાની સંભાવના છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...