Sunday, January 18, 2026

અમદાવાદીઓ રોડ પર છત્રી લઈને સિમકાર્ડ વેચનારથી ચેતજો ! વિદેશમાં કમિશનથી સિમ સપ્લાય કરતાં એજન્ટો ઝડપાયા

spot_img
Share

અમદાવાદ : સાઇબર ક્રાઇમ કરતી ગેંગને સીમકાર્ડ પૂરી પાડનાર રોડ પર બેસીને છત્રી લગાવી સીમકાર્ડ વેચનાર એજન્ટ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ સીમકાર્ડ લેવા અથવા તો સીમકાર્ડને લગતું કોઈ કામ માટે જ્યારે છત્રી વાળા એજન્ટ પાસે આવતા ત્યારે છત્રી વાળો એજન્ટ કોઈ બહાનું બતાવી નાગરિકોના આઈડી પ્રૂફ પર તેમની જાણ બહાર સીમકાર્ડ મેળવી લેતા હતા. જે બાદ કમિશન પર આ સીમકાર્ડ અલગ અલગ સાઇબર ક્રાઇમ કરતા સાયબર ગેંગને વેચતા હતાં.આ સિમકાર્ડનો ઉપયોગ ખાસ કરીને ‘ડિજિટલ એરેસ્ટ’ જેવા ગંભીર પ્રકારના સાયબર ફ્રોડ આચરતા દુબઈ અને કંબોડિયા સ્થિત કોલસેન્ટરો દ્વારા કરવામાં આવતો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાંચે એક ચોંકાવનારા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ નેટવર્ક ભારતીય નાગરિકોના આધારકાર્ડ અને ફિંગરપ્રિન્ટ જેવા સંવેદનશીલ દસ્તાવેજોનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે સિમકાર્ડ ઇશ્યુ કરતું હતું.

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આ ગેંગ સામાન્ય ગ્રાહકોના વિશ્વાસનો ભંગ કરીને સમગ્ર કૌભાંડ આચરતી હતી. રોડ પર સિમકાર્ડ કઢાવવા કે ટ્રાન્સફર કરાવવા બેસતા ‘છત્રીવાળા’ એજન્ટો ગ્રાહકોને સર્વર ડાઉન થવાની ખોટી વાત કરીને તેમની પાસેથી ડૉક્યુમેન્ટ મેળવતા. ગ્રાહકની જાણ બહાર, તેમના ડૉક્યુમેન્ટ અને ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને નવું ગેરકાયદેસર સિમકાર્ડ ઇશ્યુ કરી દેવામાં આવતું હતું.

આ પ્રકારે ઇશ્યુ થયેલા સિમકાર્ડનો ઉપયોગ ‘ડિજિટલ એરેસ્ટ’ ફ્રોડમાં થયો હોવાની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાંચે આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.

પોલીસ તપાસમાં સિમકાર્ડ સપ્લાયનું એક કમિશન આધારિત સ્તરબદ્ધ નેટવર્ક સામે આવ્યું છે, જેનું એક ખાસ કમિશનનું માળખું હતું. જેમાં આરોપી એજન્ટ ગ્રાહકના નામે સિમકાર્ડ ઇશ્યુ કરીને રૂ. 400ના કમિશને આરોપી-2ને આપતો હતો. બીજો આરોપી તે સિમકાર્ડ્સને રૂ. 700ના કમિશને ત્રીજા આરોપીને આપતો હતો. અંતે, ત્રીજો આરોપી આ સિમકાર્ડ્સને રૂ. 1200થી રૂ. 1500ના કમિશને ભારત બહાર દુબઈ થઈને કંબોડિયા ખાતે મોકલી આપતો હતો, જ્યાં તેનો ઉપયોગ ભારતીયોને છેતરવા માટે થતો હતો.

સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમોએ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અમદાવાદ, રાધનપુર, પાટણ અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસના અંતે ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી વિવિધ કંપનીઓના મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1,24,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ ઘટનાએ સિમકાર્ડ ઇશ્યુ કરનારા એજન્ટોની ગતિવિધિ અને ગ્રાહકોના દસ્તાવેજોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...