Sunday, January 18, 2026

અમદાવાદના આંગણે યોજાશે કોમનવેલ્થ ગેમ્સ 2030, ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ !

spot_img
Share

અમદાવાદ : આખરે જે ક્ષણની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, તે ઘડીને સત્તાવાર મહોર લાગી ગઈ છે. હા, અમદાવાદ હવે વર્ષ-2030માં આયોજિત થનારા કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે. આ અંગેની જાહેરાત આજરોજ ગ્લાસગ્લો, સ્કોટલેંડ ખાતે આયોજિત ‘કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલી’ની બેઠકના અંતે કરવામાં આવી છે. આ ક્ષણ સમગ્ર દેશ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્કૉટલેન્ડના ગ્લાસગો શહેરમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનની (CGF) જનરલ એસેમ્બલીની બેઠકમાં આ અંગેનો સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં અમદાવાદની યજમાની માટેની દરખાસ્ત પર ચર્ચા-વિચારણા કરવામાં આવી અને તેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી. આ સાથે જ આ મેગા ઇવેન્ટ માટે અમદાવાદના નામની જાહેરાત સત્તાવાર રીતે કરી દેવામાં આવી હતી.

ગુજરાત સરકાર અને ભારત માટે આ એક અત્યંત મહત્ત્વપૂર્ણ ઘટના છે. ગુજરાતના યુવા પ્રતિભાઓ અને ખેલ-ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે જાણીતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી (DyCM) હર્ષ સંઘવી આ ગ્લાસગો ખાતેની જનરલ એસેમ્બલીની બેઠકમાં વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગુજરાતની તૈયારીઓ, વિશ્વકક્ષાના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યજમાની કરવાની ક્ષમતાનું પ્રભાવશાળી પ્રસ્તુતિ આપી હતી.

આ બેઠકમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના મહત્ત્વપૂર્ણ સભ્યો તેમજ ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, જેમણે ગુજરાતની દરખાસ્તને મજબૂત સમર્થન આપ્યું હતું. આ જાહેરાત બાદ રાજ્યમાં અને દેશભરમાં રમતગમત સાથે સંકળાયેલા લોકોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. આ મેગા ઇવેન્ટ ગુજરાતમાં પ્રવાસન, રોજગારી અને આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન આપશે.

અમદાવાદ ખાતે આયોજિત થનારી કોમનવેલ્થ ગેમ્સ 2030, ગુજરાતને વૈશ્વિક સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત કરવામાં અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની છબિને વધુ મજબૂત બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...