Tuesday, January 20, 2026

અમદાવાદમાં કોમન વેલ્થ ગેમ્સ-2030 માટે તડામાર તૈયારી, નારણપુરા ઉપરાંત પાંચ નવા સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવાશે

spot_img
Share

અમદાવાદ : કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદ શહેરની પસંદગી થતાં જ ગુજરાતના વિકાસમાં નવો અધ્યાય લખાયો છે. આ સાથે જ ઓલિમ્પિક 2036 માટે પણ અમદાવાદની યજમાની લગભગ નિશ્ચિત થઈ ગઈ છે. આ બે વર્લ્ડ ક્લાસ ઈવેન્ટના આયોજનથી આખી દુનિયામાં અમદાવાદનું નામ ગૂંજતું થશે. એટલો વિકાસ થશે કે અમદાવાદની સિકલ સાવ બદલાઈ જશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી છેલ્લા ઘણા સમયથી વર્ષ-2030 માં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે આગોતરી તૈયારી શરુ કરી દેવામા આવી હતી. અમદાવાદમાં વસ્ત્રાલ ખાતે રુપિયા 52 કરોડના ખર્ચથી સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવાઈ રહયુ છે. ઉપરાંત વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપરાંત સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવની સુવિધા પ્રાપ્ત છે. નારણપુરા ખાતે રુપિયા 825 કરોડથી વધુના ખર્ચથી વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પલેકસ એકવાટીક સેન્ટર તેમજ કોમનવેલ્થ ગેમ્સ મુજબના સ્ટાન્ડર્ડ મુજબની તમામ સુવિધાઓ ધરાવે છે.આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાં પાંચ નવા સ્પોટર્સ કોમ્પલેકસ બનાવાશે.ત્રણ હજાર ખેલાડીઓ માટે એથ્લેટિકસ વિલેજ બનાવવા પણ આયોજન હાથ ધરવામા આવશે.

આગામી સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરમાં ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાને ધ્યાનમા રાખીને મોટા ફેરફાર કરવામા આવશે. જે સ્થળ કે સ્ટેડિયમમાં કોમન વેલ્થ ગેમ્સ-2030 ની વિવિધ રમતો રમાવાની છે તે વિસ્તારમાં સ્ટેડિયમ સાથે કનેકટ થતા રસ્તાઓ પહોળા કરવામાં આવશે. અમદાવાદમાં આવેલા ઈન્ટરનેશનલ એરપોર્ટનું વિસ્તૃતિકરણની કામગીરી હાલમાં ચાલી રહી છે.આ ઉપરાંત મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેકટ ડિસેમ્બર-2027 માં પુરો થવા તથા ડિસેમ્બર-2029 સુધીમાં સંપૂર્ણ રીતે શરુ થવાની સંભાવના છે.

અમદાવાદમાં હાલમાં સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-ટુની કામગીરી ચાલી રહી છે.જાન્યુઆરી-26 સુધીમાં બંને તરફ રોડની કામગીરી પુરી થયા પછી ફેઝ-ટુમાં વોટર સ્પોર્ટસ ફેસેલીટી ડેવલપ કરવાની દિશામા કોર્પોરેશન તથા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ તરફથી કવાયત શરુ કરાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...