Saturday, March 7, 2026

અમદાવાદના ફેમસ વસ્ત્રાપુર લેકમાં હવેથી પ્રવેશ ફી વસૂલાશે, સવારે 6 થી 10 ફ્રી, બાદમાં 10 રુપિયા ચાર્જ ચૂકવવો પડશે

spot_img
Share

અમદાવાદ : શહેરના વસ્ત્રાપુર તળાવમાં હાલ સમારકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ તળાવ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ફરી ખૂલશે. ત્યારે વસ્ત્રાપુર લેકને લઈને મોટા સમાચાર આવ્યા છે. વસ્ત્રાપુર લેકમાં એન્ટ્રી માટે હવે રૂપિયા ચૂકવવા પડશે. વસ્ત્રાપુર તળાવમાં હવે એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જે એન્ટ્રી ફી 1 ડિસેમ્બર 2026થી લાગુ પડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 10 કરોડના ખર્ચે વસ્ત્રાપુર તળાવને ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે ત્યારે વસ્ત્રાપુર તળાવમાં 10 રૂપિયા એન્ટ્રી ફી રાખવામાં આવી છે. સવારે 6થી 10 સુધી વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. સવારે 10 થી બપોરે 12 અને બપોરે 2 થી રાત્રે 10 સુધી પુખ્ત વયના લોકો માટે રૂ. 10 ટિકિટ રહેશે. 5 વર્ષ સુધીના બાળકો અને દિવ્યાંગ માટે માટે વિના મૂલ્યે પ્રવેશ રહેશે. 5 વર્ષથી 12 વર્ષ સુધીના બાળકો માટે 5 રૂપિયા એન્ટ્રી ફી રહેશે, જ્યારે 65 વર્ષથી ઉપરનાં નાગરિકો સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે વિના મૂલ્યે પ્રવેશ રહેશે. જોકે, ઓળખપત્ર બતાવવું પડશે.

દોઢ વર્ષના રિનોવેશન બાદ આખરે વસ્ત્રાપુર લેકને ખુલ્લું મુકવામાં આવશે. હવે વસ્ત્રાપુર લેકમાં પણ પ્રવેશ ફી લેવામાં આવશે. દરેક મુલાકાતીઓને લેકની મુલાકાત માટે એન્ટ્રી ફી ચૂકવવી પડશે. તો જ લેકમાં એન્ટ્રી મળી શકશે. આ લેકમાં વોકિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન સ્પેસ અને ફૂલછોડની વ્યવસ્થા કરાઈ છે.

સવારે 6:00 થી 10 સુધી નિઃશુલ્ક પ્રવેશ
સવારે 10 થી બપોરે 12 અને બપોરે 2 થી રાત્રે 10 સુધી 10 રૂપિયાની ફી ચૂકવીને એન્ટ્રી મળશે
દિવ્યાંગ વ્યક્તિ, પાંચ વર્ષ સુધીના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ
આગામી 1 જાન્યુઆરી 2026 થી પ્રવેશ ફીનું અમલીકરણ થશે

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...