Tuesday, January 20, 2026

કોમનવેલ્થ પૂર્વે રિયલ એસ્ટેટમાં બૂસ્ટ ! અમદાવાદમાં SG હાઇવે પર 500 કરોડનો જમીનનો સોદો

spot_img
Share

અમદાવાદ : ગુજરાત સરકાર કોમનવેલ્થ ગેમ્સ-2030ની જોરદાર તૈયારીઓ કરી રહી છે એવા સમયે શહેરના SG હાઇવે ઉપર આવેલી કર્ણાવતી ક્લબની સામે અધધ..કહી શકાય એવો 500 કરોડનો સોદો થતા શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પુનઃ પ્રાણ ફૂંકાયો છે. આ સોદાના પગલે શહેરના ડેવલપર્સ, બિલ્ડરો એકદમ ઉત્સાહમાં આવી ગયા છે.જેના કારણે અમદાવાદના રીયલ એસ્ટેટમાં જબરો ઉછાળો નોંધાશે તેનો સંકેત મળી ગયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદની ઓળખ બની ગયેલા SG હાઇવે પર કર્ણાવતી કલબની સામેના સર્વિસ રોડ બાદનો એક 25000 ચોરસવારના ખુલ્લા પ્લોટનો સોદો 500 કરોડમાં થયો છે. આ ખુલ્લા પ્લોટ પર 1,000 કરોડના કુલ ખર્ચે એક ભવ્ય અને આઇકૉનિક પ્રોજેક્ટ બનાવવાની યોજના છે. ડેવલપર અહીં ફાઇવ સ્ટાર હૉટેલ-કમ-કોમર્શિયલ પ્રોજેક્ટ બનાવશે, જેમાં અંદાજે 20-22 લાખ ચોરસ ફૂટનું કન્સ્ટ્રક્શન કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 4-સ્ટાર કૅટેગરીના સર્વિસ અપાર્ટમેન્ટનો પણ સમાવેશ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે હૉટેલ પોલિસી હેઠળ મંજૂરી મેળવવામાં આવી છે, જે ન્યૂનતમ 4 FSI (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) આપે છે.

રિપોર્ટ મુજબ, આ પ્રોજેક્ટમાં 125થી 200 રૂમ ધરાવતી એક ફાઇવ સ્ટાર હોટલ ઊભી કરાશે. આ પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય સ્તરનો લેન્ડમાર્ક બનાવવા માટે એક આંતરરાષ્ટ્રીય આર્કિટેક્ટ ફર્મને હાયર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. હાલમાં અમદાવાદ અને ગાંધીનગરમાં સંયુક્ત રીતે જુદા જુદા સ્ટારની 10 હજાર હોટલો આવેલી છે, પરંતુ તેમાં ફાઇવ સ્ટાર કક્ષાના ફક્ત 4000 રૂમ જ ઉપલબ્ધ છે. ડેવલપરે જણાવ્યું કે આ પ્રોજેક્ટની ઊંચાઈ અંદાજે 22 માળથી વધુ નહીં હોય અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ પ્રોજેક્ટ CWG 2030ના એક વર્ષ પહેલાં તૈયાર થઈ જવાની સંભાવના છે.

કોરોના પછીના સમયગાળામાં પ્રતિ ચોરસ વારની કિંમત 1.25 લાખથી 1.5 લાખ આંકવામાં આવતી હતી, તેના સ્થાને પ્રતિ ચોરસ વાર 2 લાખ જેટલી કિંમત રેસિડેન્શિયલ-3 ઝોનમાં થયેલો ઊંચો ભાવનો સોદો અભૂતપૂર્વ માનવામાં આવે છે. નોંધનીય છે કે ત્રણ વર્ષ પહેલાં આ ઝોનમાં જમીનના ભાવ લગભગ 1 લાખ પ્રતિ ચોરસ વાર હતા, એટલે કે આ સોદામાં કિંમતોમાં 100% નો વધારો દર્શાવ્યો છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...