Wednesday, January 21, 2026

નારણપુરામાં અંકુર ક્રોસ રોડથી પલ્લવ ક્રોસ રોડ હવે “જીતો અમદાવાદ માર્ગ” તરીકે ઓળખાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નારણપુરા વોર્ડમાં AMC દ્વારા અંકુર ક્રોસ રોડથી પલ્લવ ક્રોસ રોડનું નવું નામકરણ કરવામાં આવ્યું છે. આ માર્ગને હવે “જીતો અમદાવાદ માર્ગ” તરીકે ઓળખવામાં આવશે.જેના નામકરણ સમારોહનું આયોજન 2 ડિસેમ્બર 2025ના અંકુર ચાર રસ્તા ખાતે માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના વરદ હસ્તે યોજવામાં આવ્યો, આ પ્રસંગ જીતો અમદાવાદ માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન હતું. આ કાર્યક્રમમાં જીતોના અગ્રણીઓ તેમજ AMCના મુખ્ય પદાધિકારીઓ સાથે 300થી વધુ મેમ્બર તેમજ સ્થાનિક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમમાં માનનીય મેયરશ્રી એ જીતોના કાર્યની સરાહના કરી અને માનનીય પ્રધામમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી ને અપનાવી વિકાસમાં સહયોગી બનવા અપીલ કરી. આ પ્રસંગે ચેરમેન રાજીવ છાજેરે & ચીફ સેક્રેટરી જૈનિક વકીલ જણાવ્યું કે આ માર્ગને સુંદર રીતે વિકસિત કરીશું, જ્યાં જરૂર પડશે ત્યાં આ માર્ગ પર સીસીટીવી કેમેરા લગાવીશુ સાથે સાથે શહેરના વિકાસમાં ચોક્કસ સહયોગ આપીશું, તેમને વધુમાં જણાવ્યું કે નાના ફેરિયાઓ તેમજ લારીવાળાના વ્યવસાય વધે તે દિશામાં પણ સંસ્થા કાર્ય કરશે.

આ અવસરે નારણપુરાના ધારાસભ્ય જિતેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી મેયર જતિન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના દંડક શીતલ ડાગા, ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી ચેરમેન પ્રીતેશભાઈ મહેતા, જીતો એપેક્સ ચેરમેન ગણપતરાજ ચૌધરી, જીતો એપેક્સ વાઇસ ચેરમેન હિમાંશુ શાહ, શ્રમણ આરોગ્યમ પ્રમુખ મલય શાહ, જીતો ગુજરાત ઝોનના ચેરમેન સંજીવ છાજેર તેમજ સ્ટિયરિંગ કમિટીના સભ્યો હસમુખ ગઢેચા, હેમંત શાહ, પ્રકાશ સંઘવી, જીગીશ દોશી, જીગીશ શાહ, કુશલ ભણસાલી, ચેતન શાહ, અસિત શાહ, ઋષભ પટેલ, જીતો લેડીઝ વિંગ અને યૂથવિંગના પદાધિકારી હાજર રહ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...