Tuesday, March 3, 2026

અમદાવાદમાં વગર વરસાદે AMTS બસ ખાડામાં ફસાઈ, સદનસીબે જાનહાનિ ટળી

spot_img
Share

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવ ખાતે એક વિચિત્ર ઘટના બની છે. શહેરમાં વગર ચોમાસે AMTS બસ કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં જ ફસાઈ ગઈ હતી. ‘ જે ખાડો ખોદે તે જ તેમાં પડે’ જેવો ઘાટ આ ઘટનામાં સર્જાયો હતો. AMC દ્વારા કોઈ કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડા પર યોગ્ય બેરિકેડિંગ કે માર્ગદર્શનના અભાવે આ અકસ્માત થયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પૂર્વમાં ઓઢવમાં ચાર રસ્તા પર AMTS બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. આ ઘટના AMC ના અણધાર્યા ખોદકામના પરિણામે બની હતી, જેના કારણે રસ્તા પર ખાડો થઈ ગયો અને AMTS ની બસ તેમાં ફસાઈ ગઈ હતી. બસને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી. AMC દ્વારા કોઈ કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડા પર યોગ્ય બેરિકેડિંગ કે માર્ગદર્શનના અભાવે આ અકસ્માત થયો હતો.

આ ઘટનાથી ઓઢવનો મુખ્ય ચાર રસ્તો લગભગ ત્રણ કલાક સુધી પૂર્ણપણે બંધ રહ્યો. વાહનોની કિલોમીટરો લાંબી કતારો લાગી અને લોકોએ ગંતવ્ય સુધી પહોંચવા વૈકલ્પિક રસ્તાઓનો સહારો લીધો. ટ્રાફિક પોલીસે મોડેથી પહોંચીને વ્યવસ્થા સંભાળી ત્યાર બાદ AMTS બસને બહાર કાઢી, જેમાં બસનું આગળનું એક્સલ અને ચેસિસને ભારે નુકસાન થયું છે.

સ્થાનિક રહેવાસીઓએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, “આ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી સીવરનું કામ ચાલે છે, પણ રાત્રે ખોદીને જેમ તેમ પુરાણ કરી દેવામાં આવે છે અથવા સવારે ખાડા ખુલ્લા છોડી દે છે. આજે બસ ફસાઈ, કાલે કોઈનો જીવ જઈ શકે.”

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...