Thursday, January 15, 2026

અમદાવાદમાં વગર વરસાદે AMTS બસ ખાડામાં ફસાઈ, સદનસીબે જાનહાનિ ટળી

spot_img
Share

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવ ખાતે એક વિચિત્ર ઘટના બની છે. શહેરમાં વગર ચોમાસે AMTS બસ કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં જ ફસાઈ ગઈ હતી. ‘ જે ખાડો ખોદે તે જ તેમાં પડે’ જેવો ઘાટ આ ઘટનામાં સર્જાયો હતો. AMC દ્વારા કોઈ કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડા પર યોગ્ય બેરિકેડિંગ કે માર્ગદર્શનના અભાવે આ અકસ્માત થયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પૂર્વમાં ઓઢવમાં ચાર રસ્તા પર AMTS બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. આ ઘટના AMC ના અણધાર્યા ખોદકામના પરિણામે બની હતી, જેના કારણે રસ્તા પર ખાડો થઈ ગયો અને AMTS ની બસ તેમાં ફસાઈ ગઈ હતી. બસને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી. AMC દ્વારા કોઈ કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડા પર યોગ્ય બેરિકેડિંગ કે માર્ગદર્શનના અભાવે આ અકસ્માત થયો હતો.

આ ઘટનાથી ઓઢવનો મુખ્ય ચાર રસ્તો લગભગ ત્રણ કલાક સુધી પૂર્ણપણે બંધ રહ્યો. વાહનોની કિલોમીટરો લાંબી કતારો લાગી અને લોકોએ ગંતવ્ય સુધી પહોંચવા વૈકલ્પિક રસ્તાઓનો સહારો લીધો. ટ્રાફિક પોલીસે મોડેથી પહોંચીને વ્યવસ્થા સંભાળી ત્યાર બાદ AMTS બસને બહાર કાઢી, જેમાં બસનું આગળનું એક્સલ અને ચેસિસને ભારે નુકસાન થયું છે.

સ્થાનિક રહેવાસીઓએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, “આ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી સીવરનું કામ ચાલે છે, પણ રાત્રે ખોદીને જેમ તેમ પુરાણ કરી દેવામાં આવે છે અથવા સવારે ખાડા ખુલ્લા છોડી દે છે. આજે બસ ફસાઈ, કાલે કોઈનો જીવ જઈ શકે.”

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...