Thursday, January 15, 2026

અમદાવાદ ગ્રામ્યમાં પોલીસે 1.32 કરોડનો વિદેશી દારૂ અને મુદ્દામાલ ઝડપ્યો, કટિંગ કરતા સમયે પોલીસ ત્રાટકી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદ નગર પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. વિવેકાનંદનગર પોલીસે બડોદરા ગામની સીમમાં એક ફાર્મ હાઉસ પર દરોડો પાડી કુલ રૂપિયા 1.32 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં દારૂની 7108 બોટલો અને તેની હેરાફેરીમાં વપરાયેલું કન્ટેનર, વાહનો અને બોર્નવિટાના બોક્સનો સમાવેશ થાય છે.બડોદરા ગામમાં રહેતા બુટલેગરે ૩૧મી ડિસેમ્બર માટે ખુબ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટએ ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવી હતી. મળેલી બાતમી મુજબ, બડોદરા ગામની સીમમાં ONGC વેલ સામે આવેલા ફિરોઝખાન મહમદખાન બેલીફના ફાર્મ (જે વૃદ્ધાશ્રમ તરીકે ઓળખાય છે) પર વિદેશી દારૂનું કટિંગ થવાનું હતું. પોલીસને જાણ થઈ કે ફાર્મ પર એક બંધ બોડીનું કન્ટેનર અને એક સફેદ કાર ઊભી છે, જ્યાં દારૂનું કટિંગ ચાલી રહ્યું છે. બુટલેગરે 31મી ડિસેમ્બર માટે તેના વૃદ્ધાશ્રમ નામના ફાર્મમાં બહારથી દારૂ ભરેલો ટ્રક મંગાવ્યો છે.

આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, 7108 નંગ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 37,41,740/- હતી. દારૂને છુપાવવા માટે ઉપયોગમાં લેવાયેલા બોર્નવિટાના 1144 નાના-મોટા બોક્સ અને બંડલો પણ જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત રૂપિયા 78,12,315/- અંદાજવામાં આવી છે. તે ઉપરાંત પોલીસે કન્ટેનર, કાર, મોટરસાઈકલ પણ જપ્ત કર્યા હતા. કારમાંથી બે પીળી નંબર પ્લેટ અને સંબંધિત દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. પોલીસે કુલ મળીને રૂપિયા 1,32,69,055/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વિવેકાનંદનગર પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં ફાર્મના માલિક ફિરોઝખાન મહમદખાન બેલીફ, કન્ટેનરનો ચાલક, ટાટા ઝેસ્ટ કારનો ચાલક અને તપાસમાં સામેલ અન્ય વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...