Saturday, December 13, 2025

અમદાવાદને ભૂકંપીય રીતે વધુ જોખમી કેટેગરીમાં મુકાયું, નવા ઘર થશે 25 ટકા મોંઘા

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ફરી ભૂકંપના આચંકા શરૂ થયા છે. કચ્છના ધોળાવીરા નજીક બુધવારે મધ્યરાત્રીના અઢી વાગ્યાના અરસામાં ધરતીકંપના શક્તિશાળી આંચકાથી કડકડતી ઠંડી વચ્ચે નિંદ્રાધીન લોકોમાં ભયનું લખલખું પ્રસરી ઉઠ્યું હતું. આ દરમિયાન ભારત સરકારના બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ તાજેતરમાં દેશભરના રાજ્યોના ભૂકંપીય ઝોનિંગમાં મોટો ફેરફાર જાહેર કર્યો છે, જેના કારણે અમદાવાદ શહેરને ઉચ્ચ ભૂકંપ જોખમ કેટેગરીમાં મૂકવામાં આવ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના સિસ્મિક ઝોનને ઝોન III થી ઝોન IV માં અપગ્રેડ કરવામાં આવ્યો છે. આ ફેરફાર મે 2026 પછી મંજૂર થનારી તમામ નવી ઇમારતોની માળખાકીય ડિઝાઇનને અસર કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા વર્ગીકરણો 3 મે, 2026 થી અમલમાં આવશે. સ્ટ્રક્ચરલ એન્જિનિયરોને હવે ઇમારતોને વધુ મજબૂત ધરતીકંપના દળોનો સામનો કરવા માટે ડિઝાઇન કરવી પડશે, જેનાથી બાંધકામ સામગ્રીનો ઉપયોગ વધશે. આનાથી અમદાવાદમાં નવી મિલકતોના ભાવોમાં 25 થી 25 ટકા જેટલો વધારો થઈ શકે છે.

શહેરી વિકાસ વિભાગના સૂત્રોએ અમદાવાદને “ભૂકંપ સંવેદનશીલ” શહેર તરીકે ગણાવ્યું હતું. વર્ષ 2001 માં આવેલા વિનાશક ભૂકંપમાં શહેરમાં 900થી વધુ લોકોના જીવ ગયા હતા અને અનેક ઇમારતો ધરાશાયી થઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે, BIS દ્વારા ભૂકંપીય ઝોન જાહેર કરાયા મુજબ AMC નવી ઇમારતો માટે બાંધકામ યોજનાઓને મંજૂરી આપે છે. હાલમાં, ડિઝાઇન ઝોન III પર આધારિત છે. જોકે, BIS એ નવેમ્બર 2025માં ભૂકંપીય ઝોન સુધાર્યા પછી અમદાવાદને ઝોન IV માં મૂકવામાં આવ્યું છે. આનાથી નવી ઇમારતોની સ્ટ્રક્ચરલ ડિઝાઇનમાં સીધી અસર થશે.

સૂત્રોએ જણાવ્યું કે, અમદાવાદ હવે સિસ્મિક ઝોન IV માં ખસેડાયું હોવાથી, આગામી તમામ પ્રોજેક્ટ્સની માળખાકીય ડિઝાઇન સુધારવી પડશે. વધુ રિઇન્ફોર્સમેન્ટ અને મજબૂત ઘટકો જરૂરી બનશે. સામગ્રીના વપરાશમાં વધારો થતાં, નવા બાંધકામ ખર્ચમાં 20 થી 25 ટકાનો વધારો થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હોમગાર્ડ જવાન માટે મહત્ત્વની જાહેરાત, નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો, 55 વર્ષના બદલે હવે 58 વર્ષે નિવૃત્તિ

ગાંધીનગર : રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતા રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર...

ગુજરાત સરકારના AI આધારિત પોર્ટલ પર એક ક્લિક પર ઠરાવો, પરિપત્રો સહિત વિગતો મળશે

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા એક એવુ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે કે, સરકારની તમામ માહિતીઓ,પરિપત્રો, ઠરાવો એક જ ક્લીકમાં ઉપલબ્ધ બની શકે, પોર્ટલને...

ગુજરાત બોર્ડની બેદરકારી: પહેલા જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવી, પછી ભુલ સુધારી તારીખ બદલી

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 4 માર્ચ 2026ના દિવસે ધુળેટીનો જાહેર રજા દિવસ હોવા છતાં...

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...