Friday, January 23, 2026

મેડિકલ સ્ટોર માટે નવો કડક નિયમ : સ્ટોરમાં ફાર્માસિસ્ટ સિવાય અન્ય કોઈ નહિ વેચી શકે મેડિસીન

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં હવે મેડિકલ સ્ટોરમાં દવાના નિયમો કડક બનાવવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જે મુજબ, દવાની દુકાનોમાં ફાર્માસિસ્ટ સિવાય કોઈ અન્ય દવાનું વેચાણ નહિ કરી શકે. જો કરશે તો દંડ થશે અથવા જેલ થશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત રાજ્યમાં દવાઓના વિતરણ અને વેચાણ અંગે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ફાર્મસી એક્ટ, 1948ની કલમ 42 મુજબ, મેડિકલ પ્રેક્ટિશનરના પ્રિસ્ક્રિપ્શન પર ફક્ત રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ જ એલોપેથિક દવાઓનું વિતરણ અથવા વેચાણ કરી શકશે.ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) અને ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જારી કરાયેલા ‘જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) અધિનિયમ, 2023’ અનુસાર, કલમ 42નું ઉલ્લંઘન કરનારને ત્રણ માસ સુધીની કેદ અથવા રૂ. 2,00,000/- સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. આ ઉપરાંત, ફાર્માસિસ્ટનું રજિસ્ટ્રેશન પણ રદ અથવા સ્થગિત કરી શકાય છે.

જેનો ચુસ્તપણે અમલ કરવામાં આવ્યો છે. જેમાં ફાર્મસિસ્ટ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ એલોપેથિક દવાનું વિતરણ નહિ કરી શકે. જો વેચાણ કરશે તો તેને દોષિત ઠેરવવામાં આવશે. અથવા તેને ત્રણ માસ સુધીની કેદ થઈ શકે છે. તેમજ બે લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. કેટલાક કેસમાં ફાર્માસિસ્ટનું લાઈસન્સ પણ રદ કે સ્થગિત થઈ શકે છે.

9 ડિસેમ્બરના રોજ ફાર્મસી કાઉન્સિલના એડિશનલ રજિસ્ટ્રાર દ્વારા તમામ હોસ્પિટલના સંચાલકો, મેડિકલ સ્ટોર કે ફાર્મસીના માલિકો અને કાર્માસિસ્ટ માટે આ માહિતી બહાર પાડવામાં આવી છે. ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જન્મ વિશ્વાસ એક્ટ મુજબ જે વ્યક્તિ ફાર્મસી અધિનિયમની જોગવાઈનું ઉલ્લંઘન કરશે તેની સામે પગલાં લેવાશે.

એ પણ સામે આવ્યું કે, રાજ્યમાં અનેક એવી દવાની દુકાનો છે, જે ફાર્માસિસ્ટના લાયસન્સ પર જ ચાલે છે. જેના પર હવે રોક લાગી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...