અમદાવાદ : ગુજરાતમાં હવે મેડિકલ સ્ટોરમાં દવાના નિયમો કડક બનાવવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જે મુજબ, દવાની દુકાનોમાં ફાર્માસિસ્ટ સિવાય કોઈ અન્ય દવાનું વેચાણ નહિ કરી શકે. જો કરશે તો દંડ થશે અથવા જેલ થશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત રાજ્યમાં દવાઓના વિતરણ અને વેચાણ અંગે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ફાર્મસી એક્ટ, 1948ની કલમ 42 મુજબ, મેડિકલ પ્રેક્ટિશનરના પ્રિસ્ક્રિપ્શન પર ફક્ત રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ જ એલોપેથિક દવાઓનું વિતરણ અથવા વેચાણ કરી શકશે.ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) અને ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જારી કરાયેલા ‘જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) અધિનિયમ, 2023’ અનુસાર, કલમ 42નું ઉલ્લંઘન કરનારને ત્રણ માસ સુધીની કેદ અથવા રૂ. 2,00,000/- સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. આ ઉપરાંત, ફાર્માસિસ્ટનું રજિસ્ટ્રેશન પણ રદ અથવા સ્થગિત કરી શકાય છે.
જેનો ચુસ્તપણે અમલ કરવામાં આવ્યો છે. જેમાં ફાર્મસિસ્ટ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ એલોપેથિક દવાનું વિતરણ નહિ કરી શકે. જો વેચાણ કરશે તો તેને દોષિત ઠેરવવામાં આવશે. અથવા તેને ત્રણ માસ સુધીની કેદ થઈ શકે છે. તેમજ બે લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. કેટલાક કેસમાં ફાર્માસિસ્ટનું લાઈસન્સ પણ રદ કે સ્થગિત થઈ શકે છે.
9 ડિસેમ્બરના રોજ ફાર્મસી કાઉન્સિલના એડિશનલ રજિસ્ટ્રાર દ્વારા તમામ હોસ્પિટલના સંચાલકો, મેડિકલ સ્ટોર કે ફાર્મસીના માલિકો અને કાર્માસિસ્ટ માટે આ માહિતી બહાર પાડવામાં આવી છે. ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જન્મ વિશ્વાસ એક્ટ મુજબ જે વ્યક્તિ ફાર્મસી અધિનિયમની જોગવાઈનું ઉલ્લંઘન કરશે તેની સામે પગલાં લેવાશે.
એ પણ સામે આવ્યું કે, રાજ્યમાં અનેક એવી દવાની દુકાનો છે, જે ફાર્માસિસ્ટના લાયસન્સ પર જ ચાલે છે. જેના પર હવે રોક લાગી શકે છે.


