Friday, January 16, 2026

AMC કર્મચારીઓની ઈમાનદારી : અઢી લાખનું મંગળસૂત્ર સુરક્ષિત રીતે માલિકને સોંપાયું

spot_img
Share

અમદાવાદ : સિંધુભવન રોડ પર ચાલી રહેલા શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન માનવીય સંવેદના અને ઈમાનદારીનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું, જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની સતર્કતા અને જવાબદારીના કારણે અંદાજે રૂ. 2.56 લાખ કિંમતનું ગુમ થયેલું સોનાનું મંગળસૂત્ર તેના મૂળ માલિકને સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં સવારે હેલ્પ ડેસ્ક પર ફરજ બજાવી રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષ વિભાગ (ઉત્તર પશ્ચિમ ઝોન)ના કર્મચારી નિલકંઠપુરી ગૌસ્વામી અને હેતલબેન છોટીયા સફાઈની તપાસ અને વ્યવસ્થા જોવા માટે વિસ્તારમાં નીકળ્યા હતા. આ દરમિયાન સોનાનું મંગળસૂત્ર મળ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂપિયા 2.56 લાખ હોવાનું જાણવા મળ્યું. બંને કર્મચારીઓએ ક્ષણભર પણ વિલંબ કર્યા વિના આ બાબતની જાણ થલતેજ-3 સબ ઝોનના આસી. મ્યુનિસિપલ કમિશનર હાર્દિકભાઈ ઠાકોરને કરી હતી.

હાર્દિકભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ તરત જ આ કિંમતી વસ્તુના સાચા માલિકને શોધવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ફેસ્ટિવલ સ્થળના સી.સી.ટી.વી. કેમેરાની પણ ચકાસણી કરવામાં આવી, પરંતુ પ્રાથમિક રીતે મંગળસૂત્રના મૂળ માલિક સુધી પહોંચવું શક્ય બન્યું નહોતું. ત્યારબાદ હેલ્પ ડેસ્કના રજીસ્ટરમાં મળેલ મંગળસૂત્ર અંગેની સંપૂર્ણ નોંધ નિલકંઠપુરી ગૌસ્વામી દ્વારા કરવામાં આવી હતી.

રાત્રિના આશરે 12 વાગ્યાના સમયે મંગળસૂત્ર ગુમાવનાર મૂળ માલિક હેલ્પ ડેસ્ક પર પહોંચ્યા હતા. તેમણે મંગળસૂત્રના જુના ફોટોગ્રાફ્સ તેમજ ખરીદીનો બિલ રજૂ કરી પોતાની ઓળખ સાબિત કરી હતી. જરૂરી ચકાસણી અને ખરાઈ કર્યા બાદ મંગળસૂત્ર સંપૂર્ણ સુરક્ષિત રીતે મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યું હતું.

આમ, કિંમતી મંગળસૂત્ર પાછું મળતાં મૂળ માલિકે રાહતનો શ્વાસ લીધો હતો તેમજ હેલ્પ ડેસ્ક પર ફરજ બજાવતા નિલકંઠપુરી ગૌસ્વામી અને હેતલબેન છોટીયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના શહેરી સેવાઓમાં કાર્યરત કર્મચારીઓની ઈમાનદારી, જવાબદારી અને માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...