Friday, March 6, 2026

DyCM ને કોઈ પણ વ્યક્તિ મળી શકે તો PI-DYSPને કેમ નહીં, ગૃહ મંત્રી હર્ષ સંઘવીની પોલીસને ટકોર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ ગ્રામ પોલીસ હેડક્વાર્ટર ખાતે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખાખી ભવન સહિતનાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીના હસ્તે એડીઆર-શિલ્ડ, બ્લૂ સર્કિટ પ્રોજેક્ટ, અભયયાત્રી પ્રોજેક્ટ, અસલાલી વિભાગીય પોલીસ અધિકારીની કચેરીનું લોકાર્પણ તથા વિરમગામ પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કરાયું હતું.

અમદાવાદમાં નવા ખાખી ભવનનો ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસને ટકોર કરી હતી. તેઓએ ટકોર કરતા કહ્યું કે નાયાબ મુખ્યમંત્રીને કોઈ પણ વ્યક્તિ મળી શકે તો PI-DYSPને કેમ નહીં. પોલીસ સ્ટેશનમાં PI-DySPને લોકોને મળવા અને ખાસ કરી તેમને મળવાનો સમય દર્શાવતું બોર્ડ સ્ટેશનમાં લગાવવાનો આગ્રહ કર્યો છે.

અમદાવાદમાં નવા ખાખી ભવનના ઉદ્ઘાટન દરમિયાન ઉપમુખમંત્રી તથા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ તંત્રને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પોલીસની કામગીરી એવી હોવી જોઈએ કે ગુનેગારોમાં ભય ઊભો થાય, પરંતુ સામાન્ય નાગરિકો સાથે હંમેશા પ્રેમ અને સન્માનથી વર્તન થવું જોઈએ. DyCMએ જણાવ્યું કે, જ્યારે કોઈ ગુનેગાર પોલીસને જોઈને ડરી જાય ત્યારે જ કાયદો સાચી રીતે કાર્યરત ગણાય. પરંતુ એ જ સમયે પોલીસ સ્ટેશનમાં આવતા નાગરિકોને ડરાવાની ભાષામાં નહીં પરંતુ સહજ અને સહાનુભૂતિપૂર્ણ ભાષામાં વાત કરવી અત્યંત જરૂરી છે.

આ સાથે હર્ષ સંઘવીએ નાગરિકોને સુવિધા મળે તે માટે દરેક પોલીસ સ્ટેશન બહાર સ્પષ્ટ બોર્ડ લગાવવાનું તેમણે સૂચન કર્યું. આ બોર્ડમાં પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને DySPના નામ સાથે તેઓ કયા સમયે ઉપલબ્ધ રહેશે તેની માહિતી લખવી ફરજિયાત હોવી જોઈએ. જો કોઈ અધિકારી નિર્ધારિત સમયે હાજર ન હોય, તો તેના કારણનો ઉલ્લેખ પણ બોર્ડ પર કરવો જોઈએ.

આ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓને સમયપાલન અંગે પણ ચેતવણી આપતા કહ્યું કે, પોલીસ સ્ટેશનના PI અને DySP સમયસર હાજર રહે તેવો આગ્રહ રાખવો જોઈએ. આ સાથે તેમણે મીઠી ટકોર કરતાં કહ્યું કે, જ્યારે મુખ્યમંત્રી અને ઉપમુખમંત્રી સપ્તાહમાં બે દિવસ નાગરિકોને મળવા સમય ફાળવી શકે છે, તો પછી અધિકારીઓ કેમ નહીં?

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...