Saturday, December 20, 2025

DyCM ને કોઈ પણ વ્યક્તિ મળી શકે તો PI-DYSPને કેમ નહીં, ગૃહ મંત્રી હર્ષ સંઘવીની પોલીસને ટકોર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ ગ્રામ પોલીસ હેડક્વાર્ટર ખાતે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખાખી ભવન સહિતનાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીના હસ્તે એડીઆર-શિલ્ડ, બ્લૂ સર્કિટ પ્રોજેક્ટ, અભયયાત્રી પ્રોજેક્ટ, અસલાલી વિભાગીય પોલીસ અધિકારીની કચેરીનું લોકાર્પણ તથા વિરમગામ પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કરાયું હતું.

અમદાવાદમાં નવા ખાખી ભવનનો ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસને ટકોર કરી હતી. તેઓએ ટકોર કરતા કહ્યું કે નાયાબ મુખ્યમંત્રીને કોઈ પણ વ્યક્તિ મળી શકે તો PI-DYSPને કેમ નહીં. પોલીસ સ્ટેશનમાં PI-DySPને લોકોને મળવા અને ખાસ કરી તેમને મળવાનો સમય દર્શાવતું બોર્ડ સ્ટેશનમાં લગાવવાનો આગ્રહ કર્યો છે.

અમદાવાદમાં નવા ખાખી ભવનના ઉદ્ઘાટન દરમિયાન ઉપમુખમંત્રી તથા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ તંત્રને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પોલીસની કામગીરી એવી હોવી જોઈએ કે ગુનેગારોમાં ભય ઊભો થાય, પરંતુ સામાન્ય નાગરિકો સાથે હંમેશા પ્રેમ અને સન્માનથી વર્તન થવું જોઈએ. DyCMએ જણાવ્યું કે, જ્યારે કોઈ ગુનેગાર પોલીસને જોઈને ડરી જાય ત્યારે જ કાયદો સાચી રીતે કાર્યરત ગણાય. પરંતુ એ જ સમયે પોલીસ સ્ટેશનમાં આવતા નાગરિકોને ડરાવાની ભાષામાં નહીં પરંતુ સહજ અને સહાનુભૂતિપૂર્ણ ભાષામાં વાત કરવી અત્યંત જરૂરી છે.

આ સાથે હર્ષ સંઘવીએ નાગરિકોને સુવિધા મળે તે માટે દરેક પોલીસ સ્ટેશન બહાર સ્પષ્ટ બોર્ડ લગાવવાનું તેમણે સૂચન કર્યું. આ બોર્ડમાં પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને DySPના નામ સાથે તેઓ કયા સમયે ઉપલબ્ધ રહેશે તેની માહિતી લખવી ફરજિયાત હોવી જોઈએ. જો કોઈ અધિકારી નિર્ધારિત સમયે હાજર ન હોય, તો તેના કારણનો ઉલ્લેખ પણ બોર્ડ પર કરવો જોઈએ.

આ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓને સમયપાલન અંગે પણ ચેતવણી આપતા કહ્યું કે, પોલીસ સ્ટેશનના PI અને DySP સમયસર હાજર રહે તેવો આગ્રહ રાખવો જોઈએ. આ સાથે તેમણે મીઠી ટકોર કરતાં કહ્યું કે, જ્યારે મુખ્યમંત્રી અને ઉપમુખમંત્રી સપ્તાહમાં બે દિવસ નાગરિકોને મળવા સમય ફાળવી શકે છે, તો પછી અધિકારીઓ કેમ નહીં?

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...

લગ્ન નોંધણીના નિયમોમાં સરકાર મોટો ફેરફાર કરવાની તૈયારી, માતા-પિતાને મોકલાશે નોટિસ, નવો ડ્રાફ્ટ તૈયાર !

ગાંધીનગર : ગુજરાતમાં પ્રેમી યુગલ દ્વારા ભાગીને કરવામાં આવતા પ્રેમ લગ્ન મોટો ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રકારે થતા પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજુરી...

ACBની સફળ ટ્રેપ, CID ક્રાઇમના ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર : ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ આજે (15 ડિસેમ્બર) ગાંધીનગરમાં એક મોટી સફળ ટ્રેપ ગોઠવી CID ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને 30 લાખની લાંચ...

સંકટના સમયમાં ‘જીવાદોરી’ સાબિત થયું ‘મુખ્યમંત્રી રાહત ભંડોળ’ : 4 વર્ષમાં થઈ 2000થી વધુ દર્દીની સારવાર

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી રાહત ભંડોળ (Chief Minister Relief Fund - CMRF) સંકટના સમયમાં રાજ્યના નાગરિકો માટે એક જીવાદોરી બન્યું છે....

હોમગાર્ડ જવાન માટે મહત્ત્વની જાહેરાત, નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો, 55 વર્ષના બદલે હવે 58 વર્ષે નિવૃત્તિ

ગાંધીનગર : રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતા રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર...

ગુજરાત સરકારના AI આધારિત પોર્ટલ પર એક ક્લિક પર ઠરાવો, પરિપત્રો સહિત વિગતો મળશે

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા એક એવુ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે કે, સરકારની તમામ માહિતીઓ,પરિપત્રો, ઠરાવો એક જ ક્લીકમાં ઉપલબ્ધ બની શકે, પોર્ટલને...