Wednesday, March 4, 2026

અમદાવાદમાં ફરી એકવાર ખાખી શર્મસાર, પોલીસકર્મીએ સરાજાહેર યુવતીને ઝીંક્યો લાફો, જાણો સમગ્ર ઘટના

spot_img
Share

અમદાવાદ : શહેરમાં પોલીસની ખાખી વર્દી શર્મસાર કરતી વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. અમદાવાદના પાલડી વિસ્તારમાંથી પોલીસના હેડ કોન્સ્ટેબલે સામાન્ય બોલાચાલીમાં એક યુવતીને લાફો મારી દીધો હતો, મહિલાને એટલી હદ સુધી લાફા માર્યા હતા કે તેમના આંખ પર લોહી નીકળવા લાગ્યું હતું. આ અંગે મહિલા જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને પીઆઇએ મહિલાની ધમકાવીને ફરિયાદ લેવાની ના પાડી હતી છતાં મહિલા મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં બેઠી અને અરજી આપી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભોગ બનનાર યુવતીએ અરજી આપી છે તે મુજબ વાસણામાં રહેતી બંસરી ઠક્કર નામની મહિલા ગઈકાલે(19 ડિસેમ્બર) સાંજે 6:30 વાગે ચાર રસ્તા સિગ્નલ ક્રોસ કરતા હતા. તે દરમિયાન પાલડી ભઠ્ઠા પાસે ટ્રાફિક પોલીસ કર્મચારીએ તેમને રોકીને લાઇસન્સ માગ્યું હતું.યુવતીએ પોતાનું વાહન સાઈડમાં ઊભું રાખી લાયસન્સ બતાવવાની તૈયારી દર્શાવી હતી, ત્યારે ટ્રાફિક પોલીસે યુવતી સાથે બોલાચાલી શરૂ કરી હતી.સામાન્ય બોલાચાલી બાદ જ્યારે યુવતીએ સાવચેતીના ભાગરૂપે પોલીસકર્મી પાસે તેનું આઈ કાર્ડ (ઓળખપત્ર) માગ્યું ત્યારે આ વિવાદની શરૂઆત થઈ હતી.

આ મામલે યુવતીના આક્ષેપ મુજબ પોલીસકર્મીએ આઈ કાર્ડ બતાવ્યું ખરું, પરંતુ પરત લેતી વખતે તે નીચે પડી ગયું હતું. આથી પોલીસકર્મી એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને યુવતીને નીચે પડેલું કાર્ડ ઉઠાવી તેના હાથમાં આપવા માટે દબાણ કરવા લાગ્યો હતો. દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મર્યાદા ઓળંગીને પોલીસ હેડ કોન્સ્ટેબલે યુવતીને જોરદાર લાફો ઝીંકી દીધો હતો.

બાદમાં પાલડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યારે પીડિત યુવતી પુરાવા રૂપે પોલીસકર્મીએ માર માર્યોનો વીડિયો રજૂ કર્યો હતો, ત્યારે પોલીસ તેને ઉપાડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં પોલીસ સ્ટેશનમાં તેને કલાકો સુધી બેસાડી રાખવામાં આવી હોવાનો પીડિત યુવતીએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યો છે, વધુમાં તેને પોલીસ પર આરોપ મૂક્યા છે કે, તેની ફરિયાદ નોંધવામાં આવી નથી.

આઘાતજનક બાબત તો એ છે કે, જ્યારે ભોગ બનનાર મહિલા પોતાની સાથે થયેલા અન્યાય બદલ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી, ત્યારે ત્યાં તેની ફરિયાદ પણ લેવામાં આનાકાની કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનની અંદર જ પોલીસકર્મી દ્વારા મહિલા સાથે થયેલા આ દુર્વ્યવહારને કારણે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓ શું પગલાં લે છે તે જોવું રહ્યું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...