Wednesday, January 21, 2026

અમદાવાદમાં ફરી એકવાર ખાખી શર્મસાર, પોલીસકર્મીએ સરાજાહેર યુવતીને ઝીંક્યો લાફો, જાણો સમગ્ર ઘટના

spot_img
Share

અમદાવાદ : શહેરમાં પોલીસની ખાખી વર્દી શર્મસાર કરતી વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. અમદાવાદના પાલડી વિસ્તારમાંથી પોલીસના હેડ કોન્સ્ટેબલે સામાન્ય બોલાચાલીમાં એક યુવતીને લાફો મારી દીધો હતો, મહિલાને એટલી હદ સુધી લાફા માર્યા હતા કે તેમના આંખ પર લોહી નીકળવા લાગ્યું હતું. આ અંગે મહિલા જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને પીઆઇએ મહિલાની ધમકાવીને ફરિયાદ લેવાની ના પાડી હતી છતાં મહિલા મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં બેઠી અને અરજી આપી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભોગ બનનાર યુવતીએ અરજી આપી છે તે મુજબ વાસણામાં રહેતી બંસરી ઠક્કર નામની મહિલા ગઈકાલે(19 ડિસેમ્બર) સાંજે 6:30 વાગે ચાર રસ્તા સિગ્નલ ક્રોસ કરતા હતા. તે દરમિયાન પાલડી ભઠ્ઠા પાસે ટ્રાફિક પોલીસ કર્મચારીએ તેમને રોકીને લાઇસન્સ માગ્યું હતું.યુવતીએ પોતાનું વાહન સાઈડમાં ઊભું રાખી લાયસન્સ બતાવવાની તૈયારી દર્શાવી હતી, ત્યારે ટ્રાફિક પોલીસે યુવતી સાથે બોલાચાલી શરૂ કરી હતી.સામાન્ય બોલાચાલી બાદ જ્યારે યુવતીએ સાવચેતીના ભાગરૂપે પોલીસકર્મી પાસે તેનું આઈ કાર્ડ (ઓળખપત્ર) માગ્યું ત્યારે આ વિવાદની શરૂઆત થઈ હતી.

આ મામલે યુવતીના આક્ષેપ મુજબ પોલીસકર્મીએ આઈ કાર્ડ બતાવ્યું ખરું, પરંતુ પરત લેતી વખતે તે નીચે પડી ગયું હતું. આથી પોલીસકર્મી એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને યુવતીને નીચે પડેલું કાર્ડ ઉઠાવી તેના હાથમાં આપવા માટે દબાણ કરવા લાગ્યો હતો. દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મર્યાદા ઓળંગીને પોલીસ હેડ કોન્સ્ટેબલે યુવતીને જોરદાર લાફો ઝીંકી દીધો હતો.

બાદમાં પાલડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યારે પીડિત યુવતી પુરાવા રૂપે પોલીસકર્મીએ માર માર્યોનો વીડિયો રજૂ કર્યો હતો, ત્યારે પોલીસ તેને ઉપાડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં પોલીસ સ્ટેશનમાં તેને કલાકો સુધી બેસાડી રાખવામાં આવી હોવાનો પીડિત યુવતીએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યો છે, વધુમાં તેને પોલીસ પર આરોપ મૂક્યા છે કે, તેની ફરિયાદ નોંધવામાં આવી નથી.

આઘાતજનક બાબત તો એ છે કે, જ્યારે ભોગ બનનાર મહિલા પોતાની સાથે થયેલા અન્યાય બદલ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી, ત્યારે ત્યાં તેની ફરિયાદ પણ લેવામાં આનાકાની કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનની અંદર જ પોલીસકર્મી દ્વારા મહિલા સાથે થયેલા આ દુર્વ્યવહારને કારણે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓ શું પગલાં લે છે તે જોવું રહ્યું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...