Tuesday, January 20, 2026

અમદાવાદમાં મહિલાને લાફો મારનાર પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, મહિલા વિરુદ્ધ પણ કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જેના શિરે છે એ પોલીસકર્મીઓ જ જો દાદાગીરી પર ઉતરી આવે, વર્દીના રોફમાં પોતાની જાતને કંઈક ઔર જ સમજવા લાગે તો શું? તો આવા પોલીસકર્મીને કાયદાનું ભાન કોણ કરાવશે? આ સવાલ કરવાનું કારણ એ છે કે શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જઈને એક મહિલા પર હાથ ઉઠાવ્યો હોવાની ગંભીર ઘટના બની છે. જેનો વીડિયો વાઈરલ થયો હતો. આ મામલાની ગંભીરતા જોતા હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે. તો બીજી તરફ મહિલા દ્વારા ટ્રાફિક નિયમનમાં અડચણ ઊભી કરવા બદલ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, લાફા મારનાર પોલીસકર્મીનું નામ જયંતીભાઈ ઝાલા હોવાનું અને તે N ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે વાસણામાં રહેતા મહિલા શુક્રવારે સાંજે 6:30 કલાકે પાલડી ચાર રસ્તા પાસે સિગ્નલ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન ટ્રાફિક પોલીસના કર્મચારીએ તેમને રોકીને લાયસન્સ માંગ્યું હતું. મહિલાએ લાયસન્સ આપ્યું હતું. જો કે મહિલાનો દાવો છે કે તેણે પોલીસકર્મીને સાઈડમાં ઊભા રહેવાની વિનંતી કરતાં જ તે ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારે મહિલાએ સામે કહ્યું કે “પોલીસ છો તો આવી રીતે કેમ વાત કરો છો ? તમારું આઈડી બતાવો.” વાત એટલી હદે વણસી ગઈ હતી કે પોલીસકર્મીએ મહિલાનું સન્માન જાળવવાને બદલે તેના પર હાથ ઉઠાવી દીધો હતો.

સમગ્ર મામલે વિડીયો વાયરલ થતા ઉચ્ચ કક્ષાએ નોંધ લેવાઈ હતી, જેને લઈને ડીસીપીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક અસરથી હેડ કોન્સ્ટેબલને ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા શિસ્તભંગના કિસ્સામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.

જોકે, આ મામલે માત્ર પોલીસકર્મી જ નહીં પરંતુ મહિલા સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા દ્વારા ટ્રાફિક નિયમનમાં અડચણ ઊભી કરવા બદલ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, મહિલાએ ભૂતકાળમાં આવું વર્તન કર્યું છે કે કેમ, તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

DCP પોલીસની કામગીરી અંગે વાત કરતા DCP ભાવનાબેન પટેલે નિખાલસતાથી સ્વીકાર્યું હતું કે, ‘પોલીસ કોન્સ્ટેબલની થોડી ઘણી ભૂલ છે એ હું માનું છું.’ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પોલીસ પ્રજાનો મિત્ર છે અને પોલીસે હંમેશા નાગરિકો સાથે પ્રેમ અને શાંતિથી વર્તવું જોઈએ.’

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...