Sunday, January 18, 2026

અમદાવાદ પોલીસની ‘મેગા ડ્રાઇવ’, SG હાઇવે પર નિયમભંગ કરનાર 300થી વધુ વાહનચાલકોને ફટકારાયો દંડ

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ શહેરના વ્યસ્ત એસ.જી. હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને ટ્રાફિકજામની કાયમી સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક ‘મેગા ડ્રાઇવ’ હાથ ધરવામાં આવી હતી. આ પકવાન ચાર રસ્તાથી લઈને વૈષ્ણોદેવી સર્કલ સુધીના સર્વિસ રોડ અને હાઈવેના પટ્ટા પર યોજવામાં આવી હતી. જેમાં 20 જેટલી જાણીતી હોટલોને નોટિસ આપવામાં આવી છે તથા વાહનચાલકોને દંડ ફટકારાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેર ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક ‘મેગા ડ્રાઇવ’માં ટ્રાફિક પોલીસે નિયમભંગ કરનારાઓ સામે કડક વલણ અપનાવ્યું હતું. સર્વિસ રોડ પર અડચણરૂપ રીતે પાર્ક કરેલા વાહનોને ટોઈંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી. હાઈવે પર જીવના જોખમે રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને અટકાવી તેમની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઝુંબેશ દરમિયાન પોલીસે કુલ 300થી વધુ વાહનચાલકોને દંડ ફટકાર્યો હતો. પોતાના ગ્રાહકોના વાહનો રોડ પર પાર્ક કરાવતી અંદાજે 20 જેટલી જાણીતી હોટલોને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. સાથે સાથે AMCની ટીમ સાથે મળીને સર્વિસ રોડ પર કબ્જો જમાવીને બેઠેલા લારી-ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

એસજી-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. વી. વિંછીએ આ કાર્યવાહી અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, “એસ.જી. હાઈવેને ટ્રાફિકજામ મુક્ત બનાવવા માટે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન વાહનચાલકોને હાલાકી ન પડે તે માટે વધારાનો પોલીસ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. નિયમભંગ કરનાર સામે સ્થળ પર જ દંડ અને જરૂર પડ્યે વાહન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે”. આ કામગીરીથી હાઈવે પર વાહનોની અવરજવર વધુ સુગમ બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ કાર્યવાહી વચ્ચે બીજી તરફ અમદાવાદ શહેરમાં અંજલી ચાર રસ્તા પાસે એક મહિલાએ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હતો. જેથી ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મીએ મહિલાની પૂછપરછ કરી હતી. આ દરમિયાન મહિલા અને પોલીસ કર્મી વચ્ચે રકઝક થઈ હતી. જેમાં મહિલાએ અભદ્ર ભાષાનો પ્રયોગ શરૂ કર્યો હતો. પરિણામે ઉશ્કેરાયેલા પોલીસ કર્મીએ મહિલાને લાફો મારી દીધો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...